Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગીર સોમનાથના સૂત્રાપાડામાં સંબંધોનું ખૂન!

ગીર સોમનાથના સૂત્રાપાડામાંથી સંબંધોને શર્મસાર કરતી અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સગાભાઈએ જ પોતાના ભાઈના લોહીથી હાથ રંગ્યા છે.
Advertisement

Sutrapada : ગીર સોમનાથના સૂત્રાપાડામાંથી સંબંધોને શર્મસાર કરતી અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સગાભાઈએ જ પોતાના ભાઈના લોહીથી હાથ રંગ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે ભાઈઓ વચ્ચે લાંબા સમયથી રૂપિયાની લેતી-દેતી બાબતે વિવાદ ચાલતો હતો. આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં મોટાભાઈએ આવેશમાં આવીને ભાન ભૂલીને પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી. અંગત અદાવત અને રૂપિયાના વિવાદના કારણે થયેલા આ હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે અને પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×