Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ નાનકડી ચીજનું દાન પિતૃપક્ષમાં કરવાથી પિતૃ કરે છે દરિદ્રતાનો નાશ

હિંદુ ધર્મમાં પિતૃ કે શ્રાદ્ધ પક્ષમાં ગાય, તલ, જમીન, મીઠું અને ઘી વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં વિવિધ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પિતૃ પક્ષ દરમિયાન કેટલીક વસ્તુઓનું દાન કરવાથી થતા ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આવો આપને પણ જણાવીએ પિતૃ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળે છે..પિતૃ પક્ષમાં આ 5
આ નાનકડી ચીજનું દાન પિતૃપક્ષમાં કરવાથી પિતૃ કરે છે દરિદ્રતાનો નાશ
Advertisement
હિંદુ ધર્મમાં પિતૃ કે શ્રાદ્ધ પક્ષમાં ગાય, તલ, જમીન, મીઠું અને ઘી વગેરેનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષમાં વિવિધ વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પિતૃ પક્ષ દરમિયાન કેટલીક વસ્તુઓનું દાન કરવાથી થતા ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. આવો આપને પણ જણાવીએ પિતૃ પક્ષમાં કઈ વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળે છે..
પિતૃ પક્ષમાં આ 5 વસ્તુઓનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે
ગોળ
મહાભારત અનુસાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગોળનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પિતૃઓના આશીર્વાદથી દરિદ્રતાનો નાશ થાય છે.
  • ઘઉં-ચોખા
શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઘઉં અને ચોખાનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમામ કાર્યોમાં સફળતા મળે છે.
  • તલ
શ્રાદ્ધ વિધિમાં તલના દાનનું વિશેષ મહત્વ છે. શ્રાદ્ધ દરમિયાન કાળા તલનું દાન કરવાથી પિતૃ દોષ દૂર થાય છે.
  • ગાયનું ઘી
શ્રાદ્ધ પક્ષમાં ગાયના ઘીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.
  • ગાય
ગાયનું દાન તમામ દાન કરતાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગાય માતાનું દાન સુખ અને સંપત્તિ આપનારું માનવામાં આવે છે.
  • સોનું
પિતૃ પક્ષમાં સોનાનું દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. સોનાનું દાન કલહનો નાશ કરે છે.
Tags :
Advertisement

.

×