Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ફર્સ્ટ પર જુઓ સૌથી ઝડપી પરિણામ, એક ક્લિક કરતા જ મળશે પળે પળની અપડેટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે દેશભરમાં પરિણામ પર લોકોની નજર રહી છે.  રાજયની 182 બેઠક પર સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઇ રહ્યો છે. આ માટે મતગણતરીનો સ્ટાફ અને સુરક્ષા સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ મતગણતરી કેન્દ્ર પર હાલ પહોંચી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પર એક ક્લિક કરતાં જ તમને  પરિણામનું પળેપળનું અપડેટ તમને જાણવા મળી શકશે. 182 ઉમેદવારોનà
ગુજરાત ફર્સ્ટ પર જુઓ સૌથી ઝડપી પરિણામ  એક ક્લિક કરતા જ મળશે પળે પળની અપડેટ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)નું આજે પરિણામ જાહેર થવાનું છે ત્યારે દેશભરમાં પરિણામ પર લોકોની નજર રહી છે.  રાજયની 182 બેઠક પર સવારે 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઇ રહ્યો છે. આ માટે મતગણતરીનો સ્ટાફ અને સુરક્ષા સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓ મતગણતરી કેન્દ્ર પર હાલ પહોંચી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ પર એક ક્લિક કરતાં જ તમને  પરિણામનું પળેપળનું અપડેટ તમને જાણવા મળી શકશે. 
182 ઉમેદવારોના ભાવિનો ફેંસલો
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો પર આજે મતગણતરી યોજાશે અને ગુજરાતમાં કોનું રાજ તે સવાલનો આજે જવાબ મળી જશે. આજે  1621 ઉમેદવારના ભાવિનો ફેંસલો થશે. મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યે સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે.
સવારે 8 વાગ્યાથી મતગણતરી
સવારે 8.30 વાગ્યાથી EVM મતોની ગતણરી શરુ થશે અને માનવામાં આવે છે કે સાડા નવ વાગ્યા સુધીમાં કઇ બેઠક પર ક્યો ઉમેદવાર આગળ છે તેનું અનુમાન લગાવી શકાશે. રાજ્યના 33 જિલ્લામાં 37 સ્થળે મતગણતરી યોજવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. દરે જીલ્લા મથકે તૈયાર કરાયેલા મતગણતરી કેન્દ્રો પર  સ્થાનિક પોલીસ ઉપરાંત SRPF અને CRPF તૈનાત કરાયા છે. 
3 જીલ્લામાં 2થી વધુ ગણતરીના કેન્દ્રો
મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.
તમામ તૈયારીઓ
રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહીને શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.
વિડીયોગ્રાફી પણ કરાશે
શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તમામ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સેકન્ડ રેન્ડમાઇઝેશન પણ આજે પૂર્ણ કરાશે અને મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા કરાશે. મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.

8 વાગે પોસ્ટલ બેલેટની ગણતરી
મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના  કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે. 

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી તેને આખરી ઓપ આપતાં જણાવ્યું કે, રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોએ તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. 
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.
Tags :
Advertisement

.

×