Gopal Italia પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહે Gujarat First સાથે કરી વાતચીત
- Gopal Italia પર જૂતું ફેંકનાર છત્રપાલસિંહ સાથે વાતચીત
- જૂતાકાંડના મુખ્ય સરધાર છત્રપાલસિંહ સૌપ્રથમ Gujarat First પર
- પ્રદીપસિંહ જાડેજા પર ફેકાયેલા જૂતાનો બદલો લેવા જૂતું ફેંક્યું : છત્રપાલસિંહ
- કોંગ્રેસ દ્વારા કોઈ દોરી સંચાર નહીં, કોઇ રાજકીય પરીબળ નહીંઃ છત્રપાલસિંહ
- આપના ધારાસભ્ય હેમંત ખવા સાથે મારે પહેલા સબંધ હતાઃ છત્રપાલસિંહ
Jamnagar : ગઈકાલે જામનગરમાં આમ આદમી પાર્ટી (AAP) ની જાહેર સભા દરમિયાન MLA ગોપાલભાઈ ઈટાલિયા (Gopal Italia) પર સ્ટેજ પાસે બેઠેલા એક શખ્સ દ્વારા જૂતું ફેંકી હુમલાનો પ્રયાસ કરાયો હોવાની હિચકારી ઘટના બની હતી. આ ઘટનાને પગલે થોડા સમય માટે સભામાં ભારે હોબાળો મચી ગયો હતો. જૂતું ફેંકનારા શખ્સને પકડી લોકોએ માર માર્યો હતો. જો કે, ત્યાં હાજર પોલીસે શખ્સને લોકોથી બચાવી તેની અટકાયત કરી સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગઈ હતી. આ શખ્સની ઓળખ છત્રપાલસિંહ (Chhatrapal Singh) તરીકે થઈ, જેને ગઈકાલે એક વીડિયો બનાવી જૂતું કેમ ફેંક્યું તેનું કારણ પણ જણાવ્યું હતું. છત્રપાલસિંહએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે ખાસ વાતચીત કરી છે.
આ પણ વાંચો : Gopal Italia : જૂતાકાંડના મુખ્ય સરધાર છત્રપાલસિંહની Gujarat First સાથે ખાસ વાતચીત! જાણો શું કહ્યું?


