Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુખ્યમંત્રી નીતિશ કુમારનાં હેલિકોપ્ટરનું કરાયું ઇમર્જન્સી લેન્ડિંગ, જાણો શું થયું

બિહારના  મુખ્યમંત્રી નીતિશ કુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં સીએમ નીતીશ દુષ્કાળની સ્થિતિનો તાગ મેળવવા ગયા પહોંચ્યા હતા, પરંતુ ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને ઈમરજન્સીમાં હેલિપેડ પર લેન્ડ કરવામાં આવ્યું છે.આપને જણાવી દઈએ કે બિહારમાં ઓછા વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે. જે બાદ સીએમ નીતીશ કુમાર દુષ્કાળની સà
મુખ્યમંત્રી નીતિશ કુમારનાં હેલિકોપ્ટરનું કરાયું ઇમર્જન્સી લેન્ડિંગ  જાણો શું થયું
Advertisement
બિહારના  મુખ્યમંત્રી નીતિશ કુમારના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં સીએમ નીતીશ દુષ્કાળની સ્થિતિનો તાગ મેળવવા ગયા પહોંચ્યા હતા, પરંતુ ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરને ઈમરજન્સીમાં હેલિપેડ પર લેન્ડ કરવામાં આવ્યું છે.
આપને જણાવી દઈએ કે બિહારમાં ઓછા વરસાદને કારણે ઘણા જિલ્લાઓમાં ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે. જે બાદ સીએમ નીતીશ કુમાર દુષ્કાળની સ્થિતિની સમીક્ષા કરવા માટે હવાઈ પ્રવાસ પર હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે  કે બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ પણ તેમની સાથે છે. જોકે, આ સમાચારની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.


બીજી તરફ ગયાના ડીએમ ડૉ. ત્યાગરાજને આ મામલે કહ્યું કે તેને ઈમરજન્સી લેન્ડિંગ કહેવું યોગ્ય નથી. વાસ્તવમાં, ખરાબ હવામાનના કારણે સીએમનું હેલિકોપ્ટર ગયામાં લેન્ડ કરવામાં આવ્યું છે. તે જ સમયે, બિહારના મુખ્ય સચિવ અમીર સુભાની પણ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે હાજર રહ્યા  હતા .
Advertisement
Tags :
Advertisement

.

×