Reality Check : સાળંગપુર હનુમાનજી મંદિરમાં વિવાદાસ્પદ ભીંત ચિત્રોનો વિવાદ વકર્યો
સાળંગપુર (Salangpur) હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર (King of Salangpur) નામથી થોડા મહિના અગાઉ 54 ફૂટની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના બેઝમેન્ટ પર મંદિર વહીવટી વિભાગ દ્વારા હનુમાનજીના ચરિત્ર પર ના અલગ અલગ રીત ભીંત ચિત્રો દર્શાવવામાં...
Advertisement
સાળંગપુર (Salangpur) હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર (King of Salangpur) નામથી થોડા મહિના અગાઉ 54 ફૂટની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના બેઝમેન્ટ પર મંદિર વહીવટી વિભાગ દ્વારા હનુમાનજીના ચરિત્ર પર ના અલગ અલગ રીત ભીંત ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા જે ચિત્રોમાં હનુમાનજી દાદા સ્વામિનારાયણ ભગવાનના બાલ્ય અવસ્થા રૂપે ના નીલકંઠવર્ણીના દાસ બનીને બેઠા હોય તે પ્રમાણે દર્શાવાયા હતા. આ ચિત્રોથી ભારે વિવાદ ફેલાયો છે અને સોશિયલ મીડિયા પર લોકો ભારે આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે. સંતો મહંતોએ પણ આ ઘટનાને વખોડી કાઢી વિવાદાસ્પદ ચિત્રો હટાવી દેવાની માગ કરી છે. બીજી તરફ સોશિયલ મીડિયામાં આ ભીંત ચિત્રો પર પડદા લગાવી દેવાયા હોવાનું વાયરલ થયું હતું પણ ગુજરાત ફર્સ્ટે રિયાલિટી ચેક કરતાં કોઇ પણ પ્રકારના પડદાં લગાવાયા ના હોવાનું જણાઇ આવ્યું છે.


