શું મહારાજ રામાનુજ પ્રતાપ સિંહદેવના કારણે ભારતમાંથી ચિત્તા લુપ્ત થયા?
મહારાજ શિકાર કરવા નીકળ્યા અને તેમણે એક સાથે ત્રણ ચિતાઓનો શિકાર કર્યો હતો. શિકાર કરાયેલા ત્રણેય નર ચિત્તા હતા અને સંપૂર્ણ પુખ્ત વયના નહોતા. મહારાજે બંદૂક સાથે ત્રણ મૃત ચિતાઓનો ફોટો પાડ્યો. 17 સપ્ટેમ્બરે આફ્રિકન ચિત્તાઓ ફરી જોવા મળશેમધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બરે આફ્રિકન ચિત્તાઓ ફરી જોવા મળશે. ચિત્તાઓને અહીં લાવવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. à
Advertisement
મહારાજ શિકાર કરવા નીકળ્યા અને તેમણે એક સાથે ત્રણ ચિતાઓનો શિકાર કર્યો હતો. શિકાર કરાયેલા ત્રણેય નર ચિત્તા હતા અને સંપૂર્ણ પુખ્ત વયના નહોતા. મહારાજે બંદૂક સાથે ત્રણ મૃત ચિતાઓનો ફોટો પાડ્યો.
17 સપ્ટેમ્બરે આફ્રિકન ચિત્તાઓ ફરી જોવા મળશે
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બરે આફ્રિકન ચિત્તાઓ ફરી જોવા મળશે. ચિત્તાઓને અહીં લાવવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ચિત્તા લાવવા માટે શ્યોપુરમાં પાંચ હેલિપેડ બનાવવામાં આવ્યા છે. જેમાંથી બે પર આફ્રિકન ચિત્તા લાવવામાં આવશે, જ્યારે ત્રણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાફલા માટે બનાવવામાં આવ્યા છે. હકીકતમાં, 1952માં ભારતમાં ચિત્તાને લુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા. તેથી, 70 વર્ષ પછી આજે ભારતની ધરતી પર દસ્તક દેશે, કહેવાય છે કે 1948માં છત્તીસગઢના સુરગુજા રાજ્યના કોરિયા રાજ્યના મહારાજા રામાનુજ પ્રતાપ સિંહદેવ દ્વારા દેશના છેલ્લા ત્રણ ચિત્તાનો શિકાર કરવામાં આવ્યો હતો. અને ત્યારથી ભારતમાં ચિત્તા જોવા મળ્યા ન હતા.
મળતી માહિતી મુજબ મહારાજ રામાનુજ પ્રતાપ સિંહદેવને શિકારનો ખૂબ જ શોખ હતો. તેમણે પોતાના જીવનકાળમાં વાઘ, ચિત્તા, હરણ, રેન્ડીયર જેવા અનેક પ્રાણીઓનો શિકાર કર્યો. જેની સાક્ષી રૂપે તે સમયે રામાનુજ પેલેસની દિવાલો પર માથું લટકાવેલું જોવા મળતું હતું.
ગ્રામવાસીઓએ રામાનુજ પ્રતાપ સિંહદેવને માનવભક્ષી જંગલી પ્રાણીના હુમલા મુદ્દે ફરિયાદ કરી
1948માં, રામાનુજ પ્રતાપ સિંહદેવ, બૈકુંથપુરને અડીને આવેલા એક ગામ પાસેના જંગલમાં શિકાર કરવા ગયા. કારણ કે ગ્રામજનોએ હિંસક વન્ય પ્રાણીઓના હુમલાની વાત કરી હતી. એવું કહેવાય છે કે ગ્રામવાસીઓએ રામાનુજ પ્રતાપ સિંહદેવને માનવભક્ષી જંગલી પ્રાણીના હુમલા મુદ્દે ફરિયાદ કરી હતી. જે બાદ મહારાજ શિકાર માટે નીકળ્યા અને તેમણે એક સાથે ત્રણ ચિત્તાઓનો શિકાર કર્યો હતો, શિકાર કરાયેલા ત્રણેય નર ચિત્તા હતા અને સંપૂર્ણ પુખ્ત વયના નહોતા. અને પરંપરા મુજબ, મહારાજે ત્રણેય મૃત ચિતાઓ સાથે બંદૂક સાથે પોતાનો ફોટો પણ પડાવ્યો હતો. એવું માનવામાં આવે છે કે આ ત્રણેય ચિત્તા ભારતના છેલ્લા ચિત્તા હતા અને તે પછી ભારતમાં ક્યારેય ચિત્તા જોવા મળ્યા ન હતા.
પૌત્રી અંબિકા સિંહદેવે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી
હવે આજે ભારતમાં ચિત્તાઓ ફરી પાછા ફરી રહ્યા છે, ત્યારે અચાનક મહારાજા રામાનુજ પ્રતાપ સિંહદેવના ભારતમાં છેલ્લા ચિત્તાના શિકારની ચર્ચા ફરી હેડલાઇન્સમાં છે. જ્યારે મીડિયા અહેવાલોએ મહારાજા રામાનુજ પ્રતાપ સિંહને ભારતના છેલ્લા ચિતાઓના હત્યારા તરીકે રજૂ કર્યા, ત્યારે તેમની પૌત્રી અંબિકા સિંહદેવે આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી.
તેઓ દેશના છેલ્લા ચિતા હતા તેવો કોઈ સત્તાવાર પુરાવો નથી
આ અંગે અંબિકા સિંહદેવે કહ્યું કે મારા બાબાએ ચિત્તાનો શિકાર કર્યો હતો તે ચોક્કસ સાચું છે પરંતુ તેઓ દેશના છેલ્લા ચિતા હતા તેવો કોઈ સત્તાવાર પુરાવો નથી. તેમના પિતાએ રામચંદ્ર સિંહદેવને કહેવું પડ્યું કે મહારાજ રામાનુજ પ્રતાપ સિંહની ચિતાઓનો શિકાર કર્યો હતો કે કારણકે તે માનવભક્ષી હતી, પરમતું ત્યારબાદ પણ આ વિસ્તારમાં શિકારી ચિત્તા જોવા મળતા હતા. જોકે, અંબિકા સિંહદેવે તેમના પરિવારના અન્ય સભ્યો પાસેથી ચિત્તાના શિકારની આખી વાર્તા સાંભળી છે.
જ્યાં શિકાર થતો હતો ત્યાં ત્રણ વર્ષ સુધી ચિત્તા દેખાયા હતા
જણાવી દઈએ કે રામાનુજ પ્રતાપ સિંહદેવના પુત્ર રામચંદ્ર સિંહદેવનું પણ માનવું હતું કે મહારાજા રામાનુજ પ્રતાપ સિંહના ચિત્તાના શિકારની ઘટના બાદ પણ તેમણે તે જ વિસ્તારમાં અઢી-ત્રણ વર્ષ પછી પણ ચિત્તા જોયા હતા, જ્યાં શિકાર થતો હતો. તેમણે કહ્યું હતું કે જે ચિત્તાનો શિકાર કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણ પુખ્ત વયના નહોતા તો તે ચિત્તાઓના માતા-પિતા જંગલમાં કેમ ન મળ્યા.
આ વર્ષે માત્ર છ મહિનામાં 13 વર્ષ કરતાં વધુ પ્રવાસીઓ
જો કે મળતી માહિતી મુજબ લગભગ એક વર્ષથી ચિત્તાના આગમનની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારથી ચિત્તા લાવવાની યોજના શરૂ થઈ છે ત્યારથી આ વિસ્તારમામ પ્રવાસીઓની સંખ્યામાં અણધાર્યો વધારો થયો છે. વન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ 2021માં 1234 પ્રવાસીઓ આવ્યા હતા અને આ વર્ષે જાન્યુઆરીથી જૂનના અંત સુધીમાં 1403 પ્રવાસીઓ કૂન્સની મુલાકાત લઈ ચૂક્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે કુનોમાં ગત વર્ષથી પ્રવાસીઓ વધી રહ્યા છે, આ વર્ષે માત્ર છ મહિનામાં 13 વર્ષ કરતાં વધુ પ્રવાસીઓ આવ્યા છે. જો 30 સપ્ટેમ્બરે અભયારણ્યના દરવાજા ખુલશે તો પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની ખાતરી છે, અમે પ્રવાસીઓને સુવિધા આપવા માટે સંપૂર્ણ તૈયાર છીએ.


