Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હૈદરાબાદમાં 17 હજાર નારિયેળનો ઉપયોગ કરી બનાવવામાં આવી ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ

છેલ્લા બે વર્ષ કોરોનાના કારણે લોકો ગણેશ ઉત્સવની ઉજવણી કરી શક્યા નહોતા. જોકે, આજે દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય હોવાના કારણે દેશભરમાં ગણેશ ઉજવણી શરૂ થઇ ગઇ છે. ત્યારે આ વર્ષે ઘણી એવી ગણેશજીની મૂર્તિઓ કે જેણે સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જેમા એક કોકોનટથી બનેલા ગણેશજી પણ છે. મહત્વનું છે કે, ગણેશ ચતુર્થીની ઉજવણીના ભાગરૂપે, 17,000 નારિયેળનો ઉપયોગ કરીને ઇકો-ફ્રેન્ડલી ગણેશજીà
હૈદરાબાદમાં 17 હજાર નારિયેળનો ઉપયોગ કરી બનાવવામાં આવી ઈકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ
Advertisement
છેલ્લા બે વર્ષ કોરોનાના કારણે લોકો ગણેશ ઉત્સવની ઉજવણી કરી શક્યા નહોતા. જોકે, આજે દેશમાં કોરોનાની સ્થિતિ સામાન્ય હોવાના કારણે દેશભરમાં ગણેશ ઉજવણી શરૂ થઇ ગઇ છે. ત્યારે આ વર્ષે ઘણી એવી ગણેશજીની મૂર્તિઓ કે જેણે સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. જેમા એક કોકોનટથી બનેલા ગણેશજી પણ છે. 
મહત્વનું છે કે, ગણેશ ચતુર્થીની ઉજવણીના ભાગરૂપે, 17,000 નારિયેળનો ઉપયોગ કરીને ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવી છે, જે હૈદરાબાદના લોકો માટે હાલમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે. ANI સાથે વાત કરતા, કુમાર, એક આયોજક, હૈદરાબાદ શહેરમાં જણાવ્યું હતું કે, ગણેશ પંડાલ વિવિધ થીમ્સ સાથે ઉત્કૃષ્ટ રીતે સજ્જ છે. કેરળના એક કલાકારે નારિયેળથી બનેલા ગણેશ પંડાલને શણગારવા માટે હૈદરાબાદ સુધી મુસાફરી કરી. કુમારે જણાવ્યું હતું, “નારિયેળથી બનેલી ગણેશજીની મૂર્તિ ખરેખર હૈદરાબાદના લોકોને ખૂબ જ આકર્ષી રહી છે. હું દરેકને PoP મૂર્તિઓ ખરીદવાથી દૂર રહેવાનું સૂચન કરું છું. આપણી આસપાસ સુરક્ષિત વાતાવરણ રાખવા માટે, આપણા બધા માટે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદવાનું અનુસરવું અગત્યનું છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “લોકોમાં નાળિયેર સાથે વિવિધ લાગણીઓ સંકળાયેલી છે. નારિયેળનો ઉપયોગ અનેક પ્રસંગોમાં થાય છે. જેને ધ્યાનમાં રાખી, અમે નાળિયેરમાંથી ભગવાન ગણેશજીની મૂર્તિ બનાવી છે. અમે 17,000 નારિયેળનો ઉપયોગ કરીને આ ગણેશજીની મૂર્તિ બનાવી છે અને તેને પૂર્ણ થવામાં 8 દિવસનો સમય લાગ્યો છે.” લોઅર ટાંકી બંધ સરાઈ હૈદરાબાદના રહેવાસી અનૂપે જણાવ્યું હતું કે, શહેર દર વર્ષે ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિને પ્રોત્સાહન આપે છે, અને અન્ય સ્થળોએથી પ્રવાસીઓ મૂર્તિ જોવા માટે અહીં આવે છે.
“દર વર્ષે, અમારા પડોશી મુરલી અન્ના ગણેશ પંડાલ બનાવે છે. તે છેલ્લા કેટલાક સમયથી આ પ્રદર્શન કરાવી રહ્યા છે. આ વર્ષે અમે નાળિયેર આધારિત ગણેશ બનાવ્યા છે જે ઇકો-ફ્રેન્ડલી છે. અમે હંમેશા અહીં ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ રાખીએ છીએ. તેને જોવા માટે શહેરના વિવિધ ભાગોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે."
ભારતના ક્યાં રાજ્યોમાં ઉજવાય છે ગણેશ ચતુર્થી :
આ તહેવારમાં ભારતમાં મુખ્યત્વે મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર,ગુજરાત,ગોવા,તેલંગણા,આંધ્રપ્રદેશ,તામિલનાડુ,પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં લોકો ઘરે અને જાહેરમાં ઉજવામાં આવે છે. દરેક જગ્યાએ આ તહેવાર દરમિયાન લોકો ઘરે અને પંડાલોમાં માટીથી બનાવેલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે અને સંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભવ્ય રીતે ઉજવણી થાય છે.
Advertisement
Tags :
Advertisement

.

×