Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

5 વર્ષ સુધી તકલીફો વેઠ્યા બાદ પણ લોકો ભાજપને મત આપી દે છે, જે એક ભૂલ : ગોપાલ ઈટાલિયા

Gopal Italia : ગુજરાતના આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ તાજેતરમાં એક મહાપંચાયતમાં આપેલા ભાષણમાં ભાજપ સરકાર અને સહકારી ક્ષેત્રમાં થતા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા.
Advertisement

Gopal Italia : ગુજરાતના આમ આદમી પાર્ટી (AAP) ના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ તાજેતરમાં એક મહાપંચાયતમાં આપેલા ભાષણમાં ભાજપ સરકાર અને સહકારી ક્ષેત્રમાં થતા ભ્રષ્ટાચાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખેડૂતો અને પશુપાલકોના શોષણ, દૂધ ઉત્પાદન સાથે જોડાયેલી સમસ્યાઓ અને સહકારી સંઘોમાં થતી ગેરરીતિઓ પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. તેમના આ ભાષણે રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે.

ગોપાલ ઈટાલિયાનો આક્ષેપ

ગોપાલ ઈટાલિયાએ પોતાના ભાષણમાં જણાવ્યું કે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને ન્યાય માટે રસ્તાઓ પર ઉતરવું પડે છે, જે રાજ્યની વ્યવસ્થા માટે દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે ઉલ્લેખ કર્યો કે વિશ્વના 150 દેશોમાં ખેડૂતોને આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી, પરંતુ ગુજરાતમાં પશુપાલકો અને ખેડૂતોને તેમના હક્ક માટે સંઘર્ષ કરવો પડે છે. તેમણે ખાસ કરીને દૂધ ઉત્પાદનના વ્યવસાય પર ધ્યાન દોર્યું, જે ગુજરાતની આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, અને આરોપ લગાવ્યો કે ભાજપે આ પવિત્ર વ્યવસાયને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બનાવી દીધું છે.

Advertisement

સહકારી સંઘોમાં ભ્રષ્ટાચારનો આરોપ

ઈટાલિયાએ સહકારી ક્ષેત્રમાં થતી ગેરરીતિઓ પર આકરી ટીકા કરી. તેમણે જણાવ્યું કે સહકારનું મૂળ સૂત્ર “નય નફો, નહી નુકસાન” હતું, પરંતુ ભાજપે આને બદલીને પશુપાલકોને નુકસાન અને પોતાને નફો થાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે, સહકારથી ચાલતા સંઘ અને ફેડરેશન ને કાળી કમાણીનું સાધન ભાજપે બનાવ્યુ છે. ઈટાલિયાએ કહ્યુ કે, જ્યારે ખેડૂત પશુપાલક માગણી કરે ત્યારે કહેવામા આવે સંઘને નુકસાન જાય છે, જો સંઘને નુકસાન જતુ હોય તો રાજીનામા આપી ધર ભેગા થઈ જાવ. ગોપાલે ખાસ કરીને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પર નિશાન સાધ્યું, જેમણે સંઘમાં પગપેસારો કરીને કાળી કમાણીનું કેન્દ્ર બનાવ્યું છે. તેમણે દાવો કર્યો કે પાટીલના વૈભવી પ્લેનનો ખર્ચ પણ સંઘના નાણાંમાંથી થાય છે, જે ખેડૂતો અને પશુપાલકોની મહેનતના પૈસા છે.

Advertisement

ખેડૂતોની મહેનતનું શોષણ

ગોપાલે આક્ષેપ લગાવ્યો કે ખેડૂતો અને પશુપાલકોની મહેનતના પૈસાથી બનેલા “કમલમ”માં બેઠેલા લોકો જ તેમના પર અત્યાચાર કરે છે. તેમણે કહ્યું કે જ્યારે પશુપાલકો પોતાના હક્કની માગણી કરે છે, ત્યારે સંઘો દ્વારા નુકસાનનું બહાનું આપવામાં આવે છે. તેમણે આગ્રહ કર્યો કે જો સંઘોને ખરેખર નુકસાન થતું હોય, તો જવાબદાર વ્યક્તિઓએ રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે એવું પણ કહ્યું કે સહકારી સંઘો અને ફેડરેશનોને ભાજપે કાળી કમાણીનું સાધન બનાવી દીધું છે.

જનતાને જાગૃત થવાની અપીલ

ઈટાલિયાએ ભાજપને જ જવાબદાર નથી ગણાવી, પરંતુ લોકોને પણ જાગૃત થવાની અપીલ કરી. તેમણે કહ્યું કે 5 વર્ષ સુધી તકલીફો વેઠ્યા બાદ પણ લોકો ચૂંટણીમાં ભાજપને મત આપી દે છે, જે એક ભૂલ છે. તેમણે લોકોને “આત્મા જગાડવા” અને “શહીદી બાતલ ન જાય” તેવી જવાબદારી લેવાનું કહ્યું. તેમણે દૂધ ઉત્પાદકોને એકજૂથ થઈને સહકારી ક્ષેત્રને ભાજપના કબજામાંથી મુક્ત કરવાનો આહ્વાન કર્યું. તેમણે સૂચવ્યું કે સંઘોની બોર્ડ મીટિંગો ફેસબુક લાઈવ દ્વારા પ્રસારિત કરવામાં આવે, જેથી “દૂધનું દૂધ અને પાણીનું પાણી” થઈ શકે.

Tags :
Advertisement

.

×