Gandhinagar : જગદીશ વિશ્વકર્મા સંભાળશે ગુજરાત ભાજપનું સુકાન!
જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP) નું સુકાન સંભાળવા માટે તૈયાર છે. તેઓ પ્રદેશ BJP પ્રમુખ તરીકે આજે સત્તાવાર રીતે બિનહરીફ જાહેર થશે. તેમની નિયુક્તિના ઉત્સવ રૂપે, નિકોલ નિવાસસ્થાનેથી શરૂ કરીને ગાંધીનગર કમલમ સુધી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ઈન્દિરા બ્રિજ થઈને પસાર થશે.
રેલીમાં જગદીશ વિશ્વકર્માનાં સમર્થકો અને પરિજનો મોટી સંખ્યામાં જોડાશે. જગદીશ વિશ્વકર્મા સિવાય અન્ય કોઈએ ઉમેદવારી નોંધાવી ન હોવાથી તેમનો બિનહરીફ વિજય નિશ્ચિત છે. ગાંધીનગર કમલમ ખાતે આયોજિત પદગ્રહણ સમારોહમાં કેન્દ્રીય અને પ્રદેશ સ્તરના અનેક અગ્રણી નેતાઓ હાજર રહેશે, જેમાં કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ ડૉ. કે. લક્ષ્મણ, પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ, અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરકભાઈ શાહ પણ ઉપસ્થિત રહેશે.
આ પણ વાંચો : જગદીશ વિશ્વકર્મા સંભાળશે ગુજરાત ભાજપનું સુકાન! નિકોલ નિવાસસ્થાનેથી કમલમ સુધી ભવ્ય રેલીનું આયોજન


