Gandhinagar: નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબાની છૂટ પર રાજકારણ
Gandhinagar: ગરબા રમવાની છૂટ આપવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે ગૃહ ખાતું કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી. યુવાધનને...
Advertisement
Gandhinagar: ગરબા રમવાની છૂટ આપવા મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત બાદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કાયદા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે કે ગૃહ ખાતું કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સક્ષમ નથી. યુવાધનને અન્ય બદીઓમાં ના આવે તે પણ જોવાની જવાબદારી સૌની છે. તો જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વળતો જવાબ આપતા કહ્યું કે, 5 વાગ્યા સુધી ગરબા રમવાની જાહેરાત બાદ કેટલાક લોકોને પેટમાં દુખવા લાગ્યું છે. ગુજરાતની જનતા અહીંયા નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશે?
Advertisement


