Ganesh Gondal : Narco Test માટે ગણેશ ગોંડલ ગાંધીનગરમાં! નવા જૂનીના એંધાણ!
ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલનો (Ganesh Gondal) નાર્કો ટેસ્ટ ગાંધીનગર FSL ખાતે થશે.
Advertisement
Gondal : રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ ખાતેના ચકચારી રાજકુમાર જાટ (Rajkumar Jat Case) શંકાસ્પદ મૃત્યુ કેસમાં ગણેશ જાડેજાનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ (Narco Test) કરાવવામાં આવશે. જો કે, હવે આ મામલે મોટા સમાચાર આવ્યા છે. ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલનો (Ganesh Gondal) નાર્કો ટેસ્ટ ગાંધીનગર FSL ખાતે થશે. આથી, ગણેશ ગોંડલને ગાંધીનગર FSL (Gandhinagar FSL) લાવવામાં આવ્યા છે. FSL ખાતે 4 દિવસ સુધી અલગ-અલગ પ્રાઇમરી ટેસ્ટ કરાશે. પ્રાઇમરી ટેસ્ટના રિપોર્ટના આધારે નાર્કો ટેસ્ટ અંગે નિર્ણય લેવાશે.
Advertisement


