Health Worker Strike : Gandhinagar માં આરોગ્ય કર્મચારીઓનો વિરોધ યથાવત
રાજ્યમાં આરોગ્ય કર્મીઓની ચાલી રહેલી હડતાળ સંદર્ભે મહત્ત્વના સમાચાર આવ્યા છે. હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓની મુશ્કેલી હવે વધી શકે છે.
Advertisement
રાજ્યમાં આરોગ્ય કર્મીઓની ચાલી રહેલી હડતાળ સંદર્ભે મહત્ત્વના સમાચાર આવ્યા છે. હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓની મુશ્કેલી હવે વધી શકે છે. કારણ કે આરોગ્ય વિભાગ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને છૂટા કરવા સુધીનાં પગલાં લઈ શકે છે. છૂટા કરેલા આરોગ્યકર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરાશે એવી પણ માહિતી છે. આરોગ્ય કર્મીઓની હડતાળને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) પણ મોટું નિવેદન આપ્યું છે. જ્યારે, મહીસાગરમાં આરોગ્યકર્મીને ખોટી રીતે છૂટા કરાયાનો આરોપ થયો છે. બીજી તરફ સરકારની કાર્યવાહીથી રાજકોટ જિલ્લામાં આરોગ્ય કર્મીઓ કામે લાગ્યા છે.
Advertisement


