Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહારાષ્ટ્રમાં સચિવોને સોંપાઇ મંત્રીઓની સત્તા, કેબિનેટ વિસ્તરણ મોકૂફ

મહારાષ્ટ્રમાં, 5 ઓગસ્ટે શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ સરકારનું કેબિનેટ વિસ્તરણ મોકૂફ રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ અટકી જતાં હવે મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની સત્તા સચિવોને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મંત્રીઓના અભાવને કારણે ઘણા વિભાગોના કામો પ્રભાવિત થઈ રહ્યા છે, જેના કારણે ઘણા વિકાસ કામો અટવાઈ પડ્યા છે. મંત્રીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, ઘણા આદેશો જà
મહારાષ્ટ્રમાં સચિવોને સોંપાઇ મંત્રીઓની સત્તા  કેબિનેટ વિસ્તરણ મોકૂફ
Advertisement
મહારાષ્ટ્રમાં, 5 ઓગસ્ટે શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ સરકારનું કેબિનેટ વિસ્તરણ મોકૂફ રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ અટકી જતાં હવે મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની સત્તા સચિવોને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મંત્રીઓના અભાવને કારણે ઘણા વિભાગોના કામો પ્રભાવિત થઈ રહ્યા છે, જેના કારણે ઘણા વિકાસ કામો અટવાઈ પડ્યા છે.
 મંત્રીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો, ઘણા આદેશો જેની તાત્કાલિક જરૂર છે, તમામ અધિકાર મંત્રીઓ પાસે છે. ગૃહ, મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રાલયમાં છેલ્લા મહિનાથી અનેક અપીલો પડતર છે. તે જ સમયે, નવી સરકારની રચના થયાને 36 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી કેબિનેટની રચના થઈ નથી. મંત્રીમંડળની રચના ન થવાને કારણે હવે તેની અસર વિભાગો પર પડી રહી છે. તેથી સરકારે મંત્રીઓની તમામ સત્તા સચિવોને આપવાનો નિર્ણય કર્યો છે. તેના આદેશ રાજ્યના મુખ્ય સચિવે જારી કર્યા છે.
 5 ઓગસ્ટે કેબિનેટનું સંભવિત વિસ્તરણ થવાનું હતું. હવે મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ માટે વધુ રાહ જોવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ કેબિનેટનું વિસ્તરણ થવાની આશા છે. ગુરુવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ વિસ્તરણના મુદ્દે દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.
મુખ્યમંત્રી એકનાથ શિંદેના મંત્રીમંડળનું વિસ્તરણ 5 ઓગસ્ટે થવાનું હતું. મહારાષ્ટ્ર સરકારની રચના બાદ લાંબા સમય બાદ સરકારમાં મંત્રીઓને લઈને ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)માં પણ સમજૂતી થઈ છે. 
Tags :
Advertisement

.

×