Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે હિન્દુત્વ અને ઠાકરે નામ માટે રાજ ઠાકરે સાથે મળાવશે હાથ?

મહારાષ્ટ્રમાં રાજકીય કોકડું ગુંચવાયું છે. છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા રાજકીય નાટકમાં નવા સમીકરણો રચાતા જણાય છે. હવે એવા અહેવાલ છે કે શિવસેનાનો બળવાખોર એકનાથ શિંદે જૂથ રાજકારણ માટે નવા વિકલ્પો શોધી રહ્યો છે. શિવસેનાના નામે રાજનીતિ કરનાર શિંદે જૂથ ઠાકરે નામ અને હિન્દુત્વ બંને છોડવા માંગતા નથી. આવી સ્થિતિમાં એકનાથ શિંદે જૂથના 38 ધારાસભ્યો રાજ ઠાકરેની પાર્ટી MNSમાં જોડાઈ શકે છે.એàª
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે હિન્દુત્વ અને ઠાકરે નામ માટે રાજ ઠાકરે સાથે મળાવશે હાથ
Advertisement

મહારાષ્ટ્રમાં રાજકીય કોકડું ગુંચવાયું છે. છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા રાજકીય નાટકમાં નવા સમીકરણો રચાતા જણાય છે. હવે એવા અહેવાલ છે કે શિવસેનાનો બળવાખોર એકનાથ શિંદે જૂથ રાજકારણ માટે નવા વિકલ્પો શોધી રહ્યો છે. શિવસેનાના નામે રાજનીતિ કરનાર શિંદે જૂથ ઠાકરે નામ અને હિન્દુત્વ બંને છોડવા માંગતા નથી. આવી સ્થિતિમાં એકનાથ શિંદે જૂથના 38 ધારાસભ્યો રાજ ઠાકરેની પાર્ટી MNSમાં જોડાઈ શકે છે.

એકનાથ શિંદેએ રાજ ઠાકરે સાથે બે વખત ફોન પર વાત પણ કરી છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે શિંદેએ રાજ ઠાકરેની તબિયત જાણવા માટે તેમને ફોન કર્યો હતો. પરંતુ તેનું સાચું કારણ એ કહેવામાં આવી રહ્યું છે કે શિંદે જૂથ MNS સાથે જોડાઈને રાજ્યમાં રાજકારણના નવા સમીકરણો બનાવવા માંગે છે. બે દિવસ પહેલા દેવેન્દ્ર ફડણવીસ સાથે એકનાથ શિંદેની ગુપ્ત બેઠકમાં શિંદે જૂથના MNS સાથે વિલીનીકરણનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 
સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા હતા. જ્યાં નવી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, MNS સાથે શિંદે જૂથના વિલીનીકરણ અંગે ભાજપને હજુ પણ શંકા છે. તેનું કારણ રાજ ઠાકરેનું વલણ છે. એકનાથ શિંદેને શિવસેનાના 38 બળવાખોર ધારાસભ્યોનું સમર્થન હોવા છતાં, નવી પાર્ટી તરીકે ઓળખ મેળવવી સરળ નથી. આવી સ્થિતિમાં શિંદે જૂથ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આ મુદ્દાને ઉકેલવા માંગે છે. તેથી, તેમના માટે રાજ ઠાકરેની પાર્ટી MNS સાથે વિલીનીકરણ કરવું સૌથી સરળ છે. આવી સ્થિતિમાં ઠાકરેનું નામ પણ તેમની સાથે રહી જશે અને હિન્દુત્વનો એજન્ડા પણ બચી જશે.
Advertisement
Tags :
Advertisement

.

×