રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 842 નોંધાયા
રાજયમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહયો છે. જોકે આજે કોરોના કેસમાં સામાન્ય ઘટાડો નોધાયો છે. આજે રાજ્યમાં કોરોનાના 842 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણથી 598 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5714 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5706 દર્દીઓ સ્ટà
Advertisement
રાજયમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહયો છે. જોકે આજે કોરોના કેસમાં સામાન્ય ઘટાડો નોધાયો છે. આજે રાજ્યમાં કોરોનાના 842 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણથી 598 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5714 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5706 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,31,813 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,960 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 244 કેસ નોંધાયા છે, જ્યારે મહેસાણા 106, વડોદરા કોર્પોરેશનમાં 69, સુરત કોર્પોરેશનમાં 42, ગાંધીનગર 39, સુરત 38, કચ્છ 33, પાટણ 29, રાજકોટ કોર્પોરેશન 26, ભાવનગર કોર્પોરેશન 24, બનાસકાંઠા 23, ગાંધીનગર કોર્પોરેશન 22, આણંદ 18, અમરેલી 17, વડોદરા 17, પોરબંદર 13, નવસારી 12 એમ કુલ 842 કેસ નોંધાયા છે.


