Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કુંભારીયા રબારી સમાજે અંબાજી મંદિરના શિખર પર ધજા અર્પણ કરી, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલા શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા અંબાજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુàª
કુંભારીયા રબારી સમાજે અંબાજી મંદિરના શિખર પર ધજા અર્પણ કરી  મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
Advertisement
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલા શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો આ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલા અંબાજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
અંબાજી ખાતે મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે.અંબાજી આવતા ભક્તો મા અંબાના શિખર પર ધજા ચઢાવતા હોય છે અને આ સિવાય અંબાજીના સ્થાનિક ભક્તો પણ અંબાજી મંદિરના શિખર પર ધજા ચઢાવી ધન્યતા અનુભવતા હોય છે. આજે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે કુંભારીયા રબારી સમાજે દાંતા રોડ રબારીવાસ થી ડીજે અને ઢોલના તાલે મા અંબાની ધજા લઈને અંબાજી મંદિર આવીને અંબાજી મંદિરના શિખર પર ધજા અર્પણ કરી હતી.
    
અંબાજી ખાતે અલગ અલગ વિસ્તારમાં રબારી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે.અંબાજી થી દાંતા માર્ગ પર આવેલા કુંભારીયા રબારી સમાજ વિસ્તારમાં હનુમાનજી મંદિર થી 24 જાન્યુઆરી ના સવારે કુંભારીયા રબારી સમાજ તરફથી બોરીયાણ પટ્ટાના સમાજના લોકો પગપાળા સંઘ થી અંબાજી મંદિર તરફ ડીજે અને ઢોલ સાથે ધજા લઈને અંબાજી મંદિર તરફ આવ્યા હતા.કુંભારીયા રબારી સમાજ દર વર્ષે મહા સુદ ત્રીજના દિવસે અંબાજી મંદિર ખાતે ધજા અર્પણ કરવા જાય છે ત્યારે 2017 થી આ સમાજના લોકો ઢોલ અને ડીજે સાથે હાથમાં ધજા લઈને માતાજીની આરાધના કરતા કરતા પગપાળા જાય છે આ શોભાયાત્રામાં બાળકો ,મહિલાઓ અને પુરુષો જોડાઈ માતાજીની આરાધના કરે છે 
આ બાબતે કુંભારીયા વિસ્તારના અગ્રણી પીરાજી રબારીએ જણાવ્યું હતું કે અમારા પૂર્વજો વર્ષોથી મહા સુદ ત્રીજના દિવસે અમારા હનુમાનજી મંદિરથી ચાલતા ચાલતા અંબાજી  મંદિર સુધી પગપાળા જઈને અંબાજી મંદિર પર ધજા અર્પણ કરતા હતા પરંતુ 2017 થી અમે મોટાપાયે ડીજે અને ઢોલ સાથે તમામ લોકો રબારી પહેરવેશમાં અંબાજી મંદિર ખાતે ધજા અર્પણ કરવાનો મોટો કાર્યક્રમ કરીયે છીએ, અમારા સમાજ અને પશુપાલનના સુખાકારી માટે આ ધજા અમે અર્પણ કરીએ છીએ આજે આ પ્રસંગમાં 500 કરતા વધુ લોકો જોડાયા હતા.કુંભારીયા રબારી સમાજના પીરાજી રબારી,કાનાજી રબારી,જગમાલજી રબારી અને માલાજી  રબારી સહીત સમાજના ઘણા લોકો જોડાયા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×