Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રમઝાન મહિનાના પવિત્ર દિવસોમાં મુસ્લિમ યુવકનું અંગદાન, જાણો શું હતો મામલો

અંગ દાન,મહાદાનનું સૂત્ર આજે સાચા અર્થમાં ચરિતાર્થ થયું છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 58 અંગદાન થયા છે. 58માં અંગદાનના કિસ્સામાં ‘માન્યતા કરતા માનવતા’ ચઢિયાતી બની છે. કચ્છ જિલ્લાના ૨૫ વર્ષીય મુસ્લિમ યુવકને માર્ગ અકસ્માત નડ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો.સિવિલ હોસ્પિટલની  SOTTOની ટીમે  પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યા બાદ રમઝાન મહિàª
રમઝાન મહિનાના પવિત્ર દિવસોમાં મુસ્લિમ યુવકનું અંગદાન  જાણો શું હતો મામલો
Advertisement
અંગ દાન,મહાદાનનું સૂત્ર આજે સાચા અર્થમાં ચરિતાર્થ થયું છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 58 અંગદાન થયા છે. 58માં અંગદાનના કિસ્સામાં ‘માન્યતા કરતા માનવતા’ ચઢિયાતી બની છે. 
કચ્છ જિલ્લાના ૨૫ વર્ષીય મુસ્લિમ યુવકને માર્ગ અકસ્માત નડ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો હતો.સિવિલ હોસ્પિટલની  SOTTOની ટીમે  પરિવારજનોને અંગદાન માટે સમજાવ્યા બાદ રમઝાન મહિનાના પવિત્ર દિવસોમાં મુસ્લિમ યુવકનું અંગદાન કરાયું હતું.સિવિલ હોસ્પિટલના તબીબોની સમજાવટના પગલે અબ્દુલના પરિવારે ‘માન્યતા’ કરતા ‘માનવતા’ને મહત્વ આપ્યું હતું.  રમઝાનના પવિત્ર માસમાં મુસ્લિમ સમાજના યુવકના પરિવારજનોએ અંગદાનનો પાક નિર્ણય કરીને પરવરદિગારને ઇબાદત સમર્પિત કરી હતી.
 
મુસ્લિમ યુવકને બ્રેઇનડેડ શરીરને રીટ્રાઇવલમાં લઇ જતા પહેલા હંમેશાની જેમ જ્યારે સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા પ્રાર્થના કરવામાં આવી ત્યારે રમઝાનના મહિનામાં પોતાના સ્વજનના આત્માની શાંતિ માટે એક બાજુ મુસ્લિમ પરિવારજનો કલમા પઢી રહ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં થયેલ છેલ્લા ચાર અંગદાનમાં બકુલભાઇ વાધેલાને રોડ અકસ્માત, લાડુબેન માછીને બ્રેઇન હેમરેજ, અબ્દુલ ભાઇ ખલીફાને માર્ગ અકસ્માત અને લલીતાબેન સાધુને બ્રેઇન હેમરેજ થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ તમામ બ્રેઇનડેડ વ્યક્તિઓના પરિવારજનોને જ્યારે સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા અંગદાન માટે સમજાવતા પરિવારજનોએ અંગદાનની સંમતિ દર્શાવી. સિવિલ હોસ્પિટલના અંગદાનના મહાયજ્ઞના શરૂઆતના દિવસોમાં પરિવારજનોને અંગદાન માટે સમજણ આપવામાં જે પડકારોનો સામનો કરવો પડતો તેમાં મહદઅંશે અંત આવ્યો છે. આજે સમાજમાં પ્રવર્તેલી જાગૃતિના પરિણામે પરિવારજનો અંગદાન માટે સરળતાથી સંમતિ આપી રહ્યા છે.  
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી કહે છે કે, કોઇપણ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં છેલ્લા 25 દિવસમાં કુલ ૧૧ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના છે. છેલ્લા માત્ર ૩૬ કલાકના સમયમાં ત્રણ વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા. છેલ્લા એક મહીના માં ૧૧ અંગદાન થકી કુલ ૧૯ કીડની, કુલ ૧૦ લીવર, ૧ સ્વાદુપિંડ, ૨ હ્રદય તેમજ ૪ ફેફસા મળી કુલ ૩૬ અંગોનુ દાન મળ્યુ. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલ દ્વારા કુલ ૫૮ વ્યક્તિઓના અંગદાન થકી ૨૨૧ અંગોનું દાન મેળવવામાં આવ્યુ જે થકી ૧૫૯ વ્યક્તિઓને નવુ જીવન મળ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષી દ્વારા સિવિલ હોસ્પિટલ ની SOTTO(State Organ And Tissue Transplant Organisation) ટીમને મળતા સતત માર્ગદર્શન અને  પ્રોત્સાહન સાથે સમાજ અને સેવાભાવી સંસ્થાઓના વ્યારા પ્રયાસોથી અંગદાન ક્ષેત્રે સફળ પરિણામો મળી રહ્યા છે. તથા હોસ્પિટ્લમાં આ અંગે જરુરી માળખાકીય સુવિધા ઉભી કરી તેમજ વધુમાં વધુ લોકોમા પ્રવર્તેલી જાગરૂકતાના  ફળ સ્વરુપે ૭ મહીનાના ટુંકા ગાળામાં સિવિલ હોસ્પિટલે ૫૦ અંગદાનની રેકોર્ડ કામગીરી કરી કેટલાય લોકોના જીવનમાં ઉજાસ પાથરવાનુ ભગીરથ કામ થયું છે. 
             
Tags :
Advertisement

.

×