રાજ્યમાં કોરોનાના નવા 307 કેસ નોંધાયા, અમદાવાદમાં 84 કેસ
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 307 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 360 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1965 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1999 દર્દીઓ સ્ટેબàª
Advertisement
રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 307 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 360 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક પણ દર્દીનું મોત થયું નથી આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1965 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1999 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,55,225 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જો આજે કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 84 કેસ નોંધાયા છે . જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 30 , રાજકોટ કોર્પોરેશનમાં 16, સુરત 12 , વલસાડ 13, સુરત કોર્પોરેશનમાં 14, ગાંધીનગર કોર્પોરેશનમાં 10,નવસારીમાં 10, સાબરકાંઠામાં 10, વલસાડમાં 10, ડાંગમાં 09, રાજકોટમાં 09, બનાસકાંઠામાં 08, જામનગરમાં 08, મોરબીમાં 08, મહેસાણામાં 07, ભરૂચમાં 06, રાજકોટમાં 06, ગાંધીનગરમાં 05, કચ્છમાં 05, પાટણમાં 05, અમરેલીમાં 04, પંચમહાલમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, આણંદમાં 02, ગીર સોમનાથમાં 02, જામનગરમાં 02, ખેડામાં 02, દાહોદમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.


