1 વર્ષ લાંબા સ્મારક કાર્યક્રમનું PM Modiના હસ્તે ઉદ્ધાટન
- રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષનો સ્મરણોત્સવ
- 'વંદે માતરમ'ના 150 વર્ષ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ
- 1 વર્ષ લાંબા સ્મારક કાર્યક્રમનું PMના હસ્તે ઉદ્ધાટન
- PMના હસ્તે સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો લોન્ચ
- 'વંદે માતરમ'ના સંપૂર્ણ સંસ્કરણનું સમૂહ ગાન કરાયું
- દેશભરમાં એક વર્ષ સુધી 4 તબક્કામાં ઉજવણી થશે
- 7 નવેમ્બર 1875માં થઈ હતી 'વંદે માતરમ'ની રચના
- બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા રચના કરવામાં આવી હતી
આ વર્ષે ભારતના રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી એક વર્ષ લાંબા સ્મારક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે વડાપ્રધાને સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડ્યો હતો.
વડાપ્રધાન મોદીએ આ દિવસને દરેક ભારતીય માટે એક અત્યંત મહત્વપૂર્ણ પ્રસંગ ગણાવ્યો અને 'વંદે માતરમ'ને એક પ્રેરણાદાયી આહવાન તરીકે વર્ણવ્યું, જેણે પેઢીઓને પ્રેરણા આપી છે અને દેશભક્તિની સ્થાયી ભાવના જાગૃત કરી છે. બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા 7 નવેમ્બર, 1875ના રોજ રચાયેલું આ ગીત સૌપ્રથમ તેમના સાહિત્યિક મેગેઝિન 'બંગદર્શન'માં નવલકથા 'આનંદમઠ'ના ભાગરૂપે પ્રકાશિત થયું હતું. માતૃભૂમિને શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાના પ્રતીક તરીકે આહ્વાન કરતું આ ગીત ભારતની એકતા અને રાષ્ટ્રીય ગૌરવનું સ્થાયી પ્રતીક છે. આ ઉજવણીના ભાગરૂપે, દેશભરમાં એક વર્ષ સુધી ચાર તબક્કામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે, જેમાં જાહેર સ્થળોએ 'વંદે માતરમ'ના સંપૂર્ણ સંસ્કરણનું સમૂહ ગાન પણ કરવામાં આવશે.
આ પણ વાંચો : Vande Mataram ગુલામી દરમિયાન ભારતના સ્વતંત્રતા સંકલ્પની ઘોષણા બની ગયું: PM Modi


