રાષ્ટ્રપતિના હસ્તે પદ્મ પુરસ્કાર એનાયત, ગરવા ગુજરાતીઓ સહિત CDS રાવત અને ગુલામ નબી આઝાદને મળ્યો પદ્મ પુરસ્કાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજધાની દિલ્હીમાં પદ્મ પુરસ્કારોનું
વિતરણ કર્યું. આ દરમિયાન તે તમામ લોકોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા
હતા જેમના નામની જાહેરાત થોડા અઠવાડિયા
પહેલા કરવામાં આવી હતી. તેમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા સીડીએસ જનરલ
બિપિન રાવત અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નામ પણ સામેલ છે.
Senior Congress leader Ghulam Nabi Azad receives his Padma Bhushan award, in the field of Public Affairs pic.twitter.com/Y5BGatts4q
— ANI (@ANI) March 21, 2022" title="" target="">javascript:nicTemp();
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા ગણતંત્ર દિવસની પૂર્વ
સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 4 લોકોને પદ્મ વિભૂષણ એવોર્ડ આપવાની વાત કરવામાં આવી હતી. આ ચાર
લોકોમાં CDS જનરલ બિપિન રાવત, બીજેપી નેતા કલ્યાણ સિંહ, ગીતા પ્રેસ
ગોરખપુરના પ્રમુખ રાધેશ્યામ ખેમકા અને શાસ્ત્રીય સંગીત માટે પ્રખ્યાત પ્રભા
અત્રેના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ સિવાય કુલ 124 લોકોને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ બધાને
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરી રહ્યા છે.
ગુજરાતના આ મહાનુભવોને પદ્મશ્રી
- સવજીભાઈ ધોળકિયા (સામાજિક કાર્ય) (પદ્મશ્રી)
- સ્વામી સચ્ચિદાનંદ (પદ્મ ભૂષણ)
- રમિલાબહેન ગામિત (સામાજિક કાર્ય) (પદ્મશ્રી)
- ડૉ. લતા દેસાઈ (મેડિસિન) (પદ્મશ્રી)
- માલજીભાઈ દેસાઈ (પબ્લિક અફેયર્સ) (પદ્મશ્રી)
- ખલીલ ધનતેજવી (સાહિત્ય અને શિક્ષણ) (મરણોપરાંત પદ્મશ્રી)


