Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોરોનાનો પડકાર હજુ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી: વડાપ્રધાન મોદી

દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. વડાપ્રધાન  મોદીએ કહ્યું, છેલ્લા બે વર્ષમાં કોરોનાને લઈને આ આપણી  24મી બેઠક છે. કોરોના સમયગાળા દરમિયાન જે રીતે કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કર્યું, તેણે દેશની કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે સ્પષ્ટ છે કે કોરોનાનà
કોરોનાનો પડકાર હજુ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી  વડાપ્રધાન મોદી
Advertisement
દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. વડાપ્રધાન  મોદીએ કહ્યું, છેલ્લા બે વર્ષમાં કોરોનાને લઈને આ આપણી  24મી બેઠક છે. કોરોના સમયગાળા દરમિયાન જે રીતે કેન્દ્ર અને રાજ્યોએ સાથે મળીને કામ કર્યું, તેણે દેશની કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે સ્પષ્ટ છે કે કોરોનાનો પડકાર હજી સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. ઓમિક્રોન અને તેના તમામ પ્રકારો કેવી રીતે ગંભીર પરિસ્થિતિનું કારણ બની શકે છે.  તે આપણે યુરોપના દેશોમાં જોઈ શકીએ છીએ.
વડાપ્રધાન મોદી એ કહ્યું કે અમારા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો સતત રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમના સૂચનો પર આપણે સામૂહિક અભિગમ સાથે કામ કરવું પડશે. શરૂઆતથી જ સંક્રમણને રોકવું એ અમારી પ્રાથમિકતા પણ હતી. તે આજે પણ એવી જ રહેવી જોઈએ.
 શાળામાં વિશેષ ઝુંબેશ ચલાવવાની જરૂર
આપણા દેશમાં લાંબા સમય બાદ શાળાઓ ખુલી રહી છે. આવી સ્થિતિમાં કોરોના કેસ વધવાથી ક્યાંકને ક્યાંક વાલીઓની ચિંતા વધી રહી છે. બાળકોને ચેપ લાગ્યો હોવાના અહેવાલો છે. પરંતુ બાળકોને રસીનું કવચ મળી રહ્યું છે તે સંતોષની વાત છે. ગઈકાલે જ 6 થી 12 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણ માટે પરવાનગી આપવામાં આવી છે. પહેલાની જેમ હવે શાળામાં વિશેષ ઝુંબેશ ચલાવવાની જરૂર પડશે.
હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરતા રહો
વડાપ્રધાને કહ્યું કે, બે વર્ષમાં દેશમાં સ્વાસ્થ્ય માળખાથી લઈને ઓક્સિજનની બાબતે સુધારો થયો છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે.  પોઝિટિવ આવતા દર્દીઓના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે છે.  વડાપ્રધાન મોદીએ  કહ્યું ખાતરી કરો કે લોકોમાં કોઈ ગભરાટના થાય. હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાનું કામ ચાલુ રાખવું જોઈએ. એ નક્કી કરો કે તમામ સુવિધાઓ કાર્યરત સ્થિતિમાં છે. જો કોઈ સમસ્યા હોય તો તેનું ઉચ્ચ સ્તરે નિરાકરણ આવવું જોઈએ.
વડાપ્રધાને કહ્યું, દેશમાં ગરમી વધી રહી છે. ઉનાળાના વધતા જતા સમયમાં આપણે અલગ-અલગ સ્થળોએ આગ લાગવાના વધતા બનાવો જોઈ રહ્યા છીએ. ગયા વર્ષે ઘણી હોસ્પિટલોમાં આગ લાગી હતી. તે ખૂબ જ પીડાદાયક સ્થિતિ હતી. હું તમામ રાજ્યોને વિનંતી કરું છું કે આપણે હવેથી હોસ્પિટલોનું સેફ્ટી ઓડિટ કરાવવું જોઈએ. હોસ્પિટલની  સુરક્ષા વ્યવસ્થા પણ ચકાસવી જરૂરી છે. 
રાજ્ય પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડશે
વૈશ્વિક સંકટ વચ્ચે તેલની કિંમતો ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની વૈશ્વિક પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનું સંકલન પહેલા કરતા વધુ જરૂરી છે. યુદ્ધની સ્થિતિને કારણે સપ્લાય પર પ્રભાવ પડ્યો છે.  આવી પરિસ્થિતિમાં પડકારો દિવસેને દિવસે વધી રહ્યા છે. મોદીએ કહ્યું કે, પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોના બોજને ઘટાડવા માટે કેન્દ્ર સરકારે ગયા નવેમ્બરમાં એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. રાજ્યોને પણ તેમના ટેક્સ ઘટાડવા માટે વિનંતી કરવામાં આવી હતી. કેટલાક રાજ્યોએ તેમના ટેક્સમાં ઘટાડો કર્યો છે પરંતુ કેટલાક રાજ્યોએ તેમના લોકોને તેનો લાભ આપ્યો નથી. મારી વિનંતી છે કે જો રાજ્ય પણ દેશના હિતમાં ટેક્સમાં ઘટાડો કરે તો જનતાને ફાયદો થાય.
આ બેઠક અંગે ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટ કરીને તેમણે કહ્યું કે "તે બુધવારે બપોરે 12 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે અને કોરોનાની સ્થિતિની સમીક્ષા પણ કરશે."
આ બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ પ્રેઝન્ટેશન આપશે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના સંક્રમણ અને મૃત્યુ ફરી વધવા લાગ્યા છે. રવિવારે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને કોવિડ સંબંધિત સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરી હતી.
વડાપ્રધાન મોદી સાથે આ બેઠકમાં PM  કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને તેમના મંત્રાલય સાથે સંબંધિત અધિકારીઓ પણ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે..
બુસ્ટર ડોઝ અંગેનો સર્વે 
કોરોના વેક્સિનના  બસ્ટર ડોઝ લેનારા 70 ટકા લોકો ત્રીજી વેવ દરમિયાન સંક્રમિત થયા ન હતા. 6 હજાર લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં આ પરિણામ સામે આવ્યું છે. કોરોના પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ ડૉ. રાજીવ જયદેવનની આગેવાની હેઠળ કરવામાં આવેલા અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે બુસ્ટર ડોઝ ન લેતા 45 ટકા લોકો ફરીથી સંક્રમિત થયા હતા.
Tags :
Advertisement

.

×