Rajkot : આશાપુરા માતાના મંદિરે ઉમટ્યા ભક્તો, નવરાત્રિના પ્રથમ નોરતાનું છે વિશેષ મહત્વ
- રાજકોટમાં આશાપુરા માતાના મંદિરે ઉમટ્યા ભક્તો
- નવરાત્રીના પ્રથમ નોરતાનું વિશેષ મહત્વ
- પેેલેસ રોડ પરમાં આશાપુરાના મંદિરે ભક્તોનું ઘોડાપુર
- વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી
- માતાજીને દરરોજ અલગ અલગ શણગાર કરાશે
- આરાધના માટે રાત્રે પટાંગણમાં ગરબાનું પણ આયોજન
Rajkot : શક્તિ ઉપાસનાના પવિત્ર પર્વ નવરાત્રિનો પ્રારંભ થતાં જ સમગ્ર સૌરાષ્ટ્ર ભક્તિમય માહોલમાં લીન થઈ ગયું છે. નવરાત્રિના પ્રથમ નોરતાના વિશેષ મહત્ત્વને ધ્યાનમાં રાખીને, રાજકોટમાં આવેલા સુપ્રસિદ્ધ આશાપુરા માતાના મંદિરે શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.
શહેરના પેલેસ રોડ પર આવેલા આ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. અહીં માતાજીને દરરોજ અલગ-અલગ શણગાર કરવામાં આવવાનો છે, જેના દર્શનનો લાભ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન માતાજીની પૂજા-અર્ચના બાદ, રાત્રિના સમયે મંદિરના પટાંગણમાં ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ માતાજીની આરાધના કરશે. આ દૃશ્ય શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક છે.
આ પણ વાંચો : Ahmedabad : નવરાત્રિના પ્રથમ દિવસે નગરદેવી ભદ્રકાળી મંદિરે ભક્તોનું ઘોડાપૂર


