Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુક્રેનથી બિલાડી અને કુતરાઓ લાવવાની લાગી હોડ, મંજૂરી ન મળતા વિદ્યાર્થિનીએ 4 ફ્લાઈટ જવા દીધી

રશિયા અને યુક્રેન વચ્ચે જંગ જામ્યો છે. હાલમાં યુક્રેનની પરિસ્થિતિ વિકટ બની છે. યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકાર દિવસ રાત એક કરી રહી છે. ભારતીયોને બહાર કાઢવા માટે હાલ ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. યુક્રેનના આસપાસના દેશોમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવી રહ્યા છે. પરંતુ હવે એક સમસ્યા એ સામે આવી છે કે તેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ પોતાના પાલતુ પ્àª
યુક્રેનથી બિલાડી અને કુતરાઓ લાવવાની લાગી હોડ  મંજૂરી
ન મળતા વિદ્યાર્થિનીએ 4 ફ્લાઈટ જવા દીધી
Advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે જંગ જામ્યો છે. હાલમાં
યુક્રેનની પરિસ્થિતિ વિકટ બની છે. યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત
સરકાર દિવસ રાત એક કરી રહી છે. ભારતીયોને બહાર કાઢવા માટે હાલ ઓપરેશન ગંગા
ચલાવવામાં આવી રહ્યું છે. યુક્રેનના આસપાસના દેશોમાંથી ભારતીય વિદ્યાર્થીઓને પરત
લાવવામાં આવી રહ્યા છે. પરંતુ હવે એક સમસ્યા એ સામે આવી છે કે તેમાંથી કેટલાક
વિદ્યાર્થીઓ પોતાના પાલતુ પ્રાણીઓને પણ સાથે લાવવાની જીદ કરી રહ્યા છે. ત્યારે
મેડિકલની વિદ્યાર્થીની કિર્તના આખરે શનિવારે તેના પાલતુ કૂતરા 'કેન્ડી' સાથે ચેન્નાઈ પહોંચી. તે ભારત જતી વખતે
તેના પાલતુ પ્રાણીને ન છોડવા પર મક્કમ હતી. કિર્તનાએ આ માટે ઓછામાં ઓછી ચાર
ફ્લાઈટ્સ જવા દીધી હતી. બાદમાં ભારતીય દૂતાવાસે તેને કૂતરા સાથે આવવાની મંજૂરી આપી
હતી.


Advertisement

યુક્રેનમાંથી ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે સરકારે 'ઓપરેશન ગંગા'ના ભાગ રૂપે ઘણી વિશેષ એરલાઇન્સ
સેવામાં દબાણ કર્યું છે. શનિવારે કિર્તના
'કેન્ડી' લઈને ચેન્નાઈ એરપોર્ટ પહોંચી હતી જ્યાં તેના પરિવારના સભ્યોએ તેનું
સ્વાગત કર્યું હતું. કીર્તનાએ સમાચાર એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે
,
"મારે ચાર વખત મારી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી
હતી કારણ કે અગાઉ મને મારા પાલતુ કુતરાને પરત લાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
મેં વધારાના બે-ત્રણ દિવસ સુધી રાહ જોઈ. આખરે મને એમ્બેસીમાંથી ફોન આવ્યો. હું
પાલતુ કુતરાને લઈને આવી શકું છું. અને તને કુતરાને પોતાની સાથે લાવવાની છૂટ છે. તેણીએ
કહ્યું કે
, અધિકારીઓએ મને કહ્યું કે હું મારું કુતરું
લાવી શકું છું
, પરંતુ મારે મારી સામાન છોડી દેવો પડશે.
મેં કહ્યું
, ઠીક છે. મારા માટે સામાન કરતાં મારું
પાલતુ કુતરું વધુ મહત્વનું છે.

Advertisement


કિર્તનાએ કહ્યું કે તે યુક્રેનના સરહદી વિસ્તારમાં રહેતી હતી. તેથી
તેને અન્ય વિદ્યાર્થીઓ જેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ન હતો. તમને જણાવી દઈએ
કે વિદ્યાર્થીઓને યુક્રેનની સરહદો સુધી પહોંચવા માટે સેંકડો કિલોમીટરનો પ્રવાસ
કરવો પડે છે. કિર્તના તમિલનાડુના માયલાદુથુરાઈની છે. તે યુક્રેનની ઉઝહોરોડ નેશનલ
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. આ પહેલા શનિવારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે
કટોકટીગ્રસ્ત યુક્રેનમાંથી
'ઓપરેશન ગંગા' હેઠળ અત્યાર સુધીમાં 13,300 થી વધુ લોકો
ભારત પરત ફર્યા છે. મંત્રાલયે એ પણ માહિતી આપી કે લગભગ તમામ ભારતીયોએ યુક્રેનના
ખાર્કિવ શહેર છોડી દીધું છે. સરકારનું મુખ્ય ધ્યાન સુમી પ્રદેશમાંથી નાગરિકોને
બહાર કાઢવા પર છે. યુક્રેનની સરહદે આવેલા પાંચ પડોશી દેશોમાં ભારતીય નાગરિકોના
સ્થળાંતર પ્રક્રિયાના સંકલન અને દેખરેખ માટે સરકારે
'ખાસ રાજદૂત' પણ તૈનાત કર્યા છે.

Tags :
Advertisement

.

×