Surat : ધોરણ 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
Surat : સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
Advertisement
Surat : સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો છે. આપઘાત પછી, વિદ્યાર્થીનીના પરિવારજનો દ્વારા શાળા પ્રશાસન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. પરિવારના દાવા મુજબ, ફી ન ભરવાને કારણે શાળા સંચાલને યુવતી સાથે ખરાબ વર્તન કર્યુ હતું અને તેના કારણે તેણે આપઘાત કર્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
બીજી તરફ શાળા સંચાલકોએ આ તમામ આરોપોને નકારી દીધા છે. જો કે, વિદ્યાર્થિનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડાઈ હોવાનાં CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે હાલ ગોડદરા પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ ચાલુ છે, અને મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનો માટે યોગ્ય ન્યાય માટે શક્ય પગલાં લેવામાં આવશે.
Advertisement
Advertisement


