પાકિસ્તાન સંસદમાં આજે રાત્રે 8 વાગ્યે વોટિંગ કરવાની માગ, મરિયમે કહ્યું – ઈમરાન ખાન માનસિક બીમાર છે
પાકિસ્તાનની રાજનીતિ માટે આજનો દિવસ મહત્વનો છે. કારણ કે નેશનલ
એસેમ્બલીમાં મતદાન થવાનું છે. તેથી ઈમરાન ખાનની સરકાર રહેશે કે નહીં તે મતદાન બાદ
જ નક્કી થશે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સંસદમાં કુલ સાંસદોની સંખ્યા 342 છે. એટલે કે ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે ઈમરાન ખાને 172 વોટ મેળવવા પડશે. પરંતુ હાલમાં ઈમરાન ખાનની સરકાર પાસે માત્ર 142 સાંસદોનું સમર્થન છે, જ્યારે વિપક્ષ તેમની સાથે 199 સાંસદ હોવાનો દાવો કરી રહ્યો છે.
Pakistan: PML-N leader Maryam Nawaz Sharif calls Imran Khan psychopath
Read @ANI Story | https://t.co/uD6NI0zHnr#MaryamNawazSharif #ImranKhan #Pakistan pic.twitter.com/ZgkL4SfEf5
— ANI Digital (@ani_digital) April 9, 2022" title="" target="">javascript:nicTemp();
વડા પ્રધાન ઇમરાન ખાને અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કરવા માટે
નેશનલ એસેમ્બલીના સત્ર પહેલાં પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાયદાકીય નિષ્ણાતોની બેઠકની
અધ્યક્ષતા કરી હતી. વિપક્ષના નેતા
શાહબાઝ શરીફે કહ્યું કે ઈમરાને દેશનું ધ્યાન રાખ્યું નથી. તેમણે સંસદમાં કહ્યું
હતું કે સુપ્રીમ કોર્ટ અનુસાર કાર્યવાહી થવી જોઈએ. ઈમરાને પાકિસ્તાનનું ભવિષ્ય
બરબાદ કર્યું. શાહબાઝ શરીફે સ્પીકર પર નિશાન સાધતા કહ્યું કે આજે સંવિધાન સાથે ઉભા
રહો.


