Surat મહિલા PSIનું સૌથી ચોંકાવનારું નિવેદન, પીધેલા 15 પકડીએ એમાંથી 10 તો પાટીદાર...!
સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું પટેલ સમાજને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નશાની હાલતમાં પકડાય તેના પર કેસ કરવાના છે.
Advertisement
- પાટીદારોના કાર્યક્રમમાં જ મહિલા PSIએ ચોંકાવ્યા
- મહિલા PSIએ પાટીદારો અંગે આપ્યું ચોંકાવનારું નિવેદન
- પીધેલાં ઝડપાય તેમાં 15માંથી 10 તો પાટીદાર હોય છે
- આવા યુવકો એક દિવસ લોકઅપમાં રહેશે તો ભાન થશે
PSI's big statement about the Patel community : સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા PSI ઉર્વિશા મેંદપરાનું પટેલ સમાજને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નશાની હાલતમાં પકડાય તેના પર કેસ કરવાના છે. પીધેલા ઝડપાતા 15 યુવકો પૈકી 10 યુવકો પાટીદાર હોય છે. તેમણે કહ્યું દારુના કેસમાં ભલે પટેલના છોકરા હોય લોકઅપમાં રાખો એટલે તેમને સમજાય. સાયબરના નોંધાતા 50 ટકા કેસમાં પણ પાટીદારો સામેલ હોય છે.
Advertisement


