Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC ODI રેન્કિંગમાં આ ખેલાડી બન્યો વિશ્વનો નંબર 1 બોલર

ICC ODI રેન્કિંગ આ ખેલાડી બન્યો વિશ્વ નંભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાએ મંગળવારે ક્લીન સ્વીપ કર્યું હતું. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ કીવી ટીમને 90 રને હરાવીને નંબર 1 ODI ટીમ બની. આ સિરીઝની વાત કરીએ તો ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે બે મેચ રમીને તબાહી મચાવી હતી. સિરાજને આ પ્રદર્શન માટે ICC દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યà«
icc odi રેન્કિંગમાં આ ખેલાડી બન્યો વિશ્વનો નંબર 1 બોલર
Advertisement
ICC ODI રેન્કિંગ આ ખેલાડી બન્યો વિશ્વ નંભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાએ મંગળવારે ક્લીન સ્વીપ કર્યું હતું. ઈન્દોરમાં રમાયેલી ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ કીવી ટીમને 90 રને હરાવીને નંબર 1 ODI ટીમ બની. આ સિરીઝની વાત કરીએ તો ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ સિરાજે બે મેચ રમીને તબાહી મચાવી હતી. સિરાજને આ પ્રદર્શન માટે ICC દ્વારા પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે અને તે ODIમાં નંબર 1 બોલર બની ગયો છે.
મોહમ્મદ સિરાજે દિગ્ગજોને પાછળ છોડી દીધા
હકીકતમાં, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે બુધવારે ODI રેન્કિંગ જાહેર કરી. જેમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ બે સ્થાનની છલાંગ લગાવીને વિશ્વનો નંબર 1 ODI બોલર બન્યો છે. સિરાજને 729 પોઈન્ટ મળ્યા છે અને આ સાથે તે ટોપ પર પહોંચી ગયો છે. સિરાજે ન્યૂઝીલેન્ડના ટ્રેન્ડ બોલ્ટને પાછળ છોડી દીધો છે, જેની પાસે માત્ર 727 પોઈન્ટ છે, જ્યારે આ યાદીમાં મિચેલ સ્ટાર્ક, રાશિદ ખાન અને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલર પણ છે, પરંતુ તેઓ પણ સિરાજની સામે નિષ્ફળ જાય છે.બર 1 બોલર 
સિરાજની ODI કારકિર્દી
મોહમ્મદ સિરાજે ભારત માટે 21 વનડે રમી છે અને ખતરનાક પ્રદર્શન કરતા 38 વિકેટ લીધી છે. સિરાજે શ્રીલંકા સામેની છેલ્લી મેચમાં અને ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં સતત ચાર વિકેટ લીધી હતી અને ભારતને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વન ડે બાદ હવે ટી20માં અસલી ટેસ્ટ
ભારતે ન્યૂઝીલેન્ડને વનડે શ્રેણીમાં ખરાબ રીતે હરાવ્યું હતું. તેણે શ્રેણી 3-0થી જીતી લીધી હતી. હવે બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. તેની પ્રથમ મેચ શુક્રવારે રાંચીમાં રમાશે. આ મેચ રાંચીના સ્ટેડિયમમાં રમાશે. અહીં ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર હજુ સુધી એક પણ T20 મેચ હારી નથી. તેણે અહીં એક મેચમાં ન્યૂઝીલેન્ડને પણ હરાવ્યું હતું. હવે ફરી એકવાર ભારતીય ટીમ 27 જાન્યુઆરીએ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મેદાનમાં ઉતરશે.
રાંચી ટીમ ઈન્ડિયા અહીં અત્યાર સુધી એક પણ T20 મેચ હારી નથી
જો આપણે રાંચીના JSCA સ્ટેડિયમમાં ભારતની T20 મેચોનો રેકોર્ડ જોઈએ તો તે સારો રહ્યો છે. ટીમ ઈન્ડિયા અહીં અત્યાર સુધી એક પણ T20 મેચ હારી નથી. તેણે 3 મેચ રમી છે અને ત્રણેયમાં જીત મેળવી છે. ભારતે અહીં ફેબ્રુઆરી 2016માં શ્રીલંકાને 69 રનથી હરાવ્યું હતું. આ પછી ઓક્ટોબર 2017માં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 2021માં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. તેથી આ વખતે પણ ભારતીય ટીમ પોતાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×