Surat માં ટ્યુશન શિક્ષિકાનો ઘરમાં આપઘાત, ઘરમાં જ ગળેફાંસો લગાવી યુવતીએ ટૂંકાવ્યું જીવન!
Surat : સુરતનાં (Surat) કતારગામમાં ખાનગી ટ્યુશનમાં અભ્યાસ કરાવવા જતી 19 વર્ષીય નૈના વાવડીયાએ (Naina Vavadiya Case) આપઘાત કર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આશાસ્પદ યુવતીનાં મોતથી પરિવાર ભારે આઘાતમાં છે. પરિવારજનો અને અલ્પેશ કથીરિયા સહિત સમાજનાં અગ્રણી સિંગણપોર...
Advertisement
Surat : સુરતનાં (Surat) કતારગામમાં ખાનગી ટ્યુશનમાં અભ્યાસ કરાવવા જતી 19 વર્ષીય નૈના વાવડીયાએ (Naina Vavadiya Case) આપઘાત કર્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આશાસ્પદ યુવતીનાં મોતથી પરિવાર ભારે આઘાતમાં છે. પરિવારજનો અને અલ્પેશ કથીરિયા સહિત સમાજનાં અગ્રણી સિંગણપોર પોલીસ સ્ટેશન (Singanpore Police Station) પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માગ કરી છે. નીલ દેસાઈ નામના યુવકના ત્રાસથી નૈના રણજીતભાઇ વાવડીયાએ આપઘાત કર્યો હોવાનો ફરિયાદમાં આરોપ થયો છે. પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું કે, મુખ્યમંત્રીને પત્ર લખી આ કેસમાં યોગ્ય તપાસની માગ કરાઈ છે.
Advertisement


