Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં 8 કલાકમાં બે બ્લાસ્ટ, જુઓ વિડીયો

જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના ઉધમપુર (Udhampur)માં 8 કલાકમાં 2 વિસ્ફોટ થયા હતા. ઉધમપુરના  ડોમેલ ચોક ખાતે પેટ્રોલ પંપ પાસે ઉભેલી પેસેન્જર બસમાં બુધવારે  રાત્રે લગભગ 10.30 વાગ્યે વિસ્ફોટ (Blast) થયો હતો. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે સવારે  જુના બસ સ્ટેન્ડ પાસે બીજી બસમાં પણ વિસ્ફોટ થયો હતો.પોલીસ (Police) અને અન્ય એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બ્લાà
જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં 8 કલાકમાં બે બ્લાસ્ટ  જુઓ વિડીયો
Advertisement
જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)ના ઉધમપુર (Udhampur)માં 8 કલાકમાં 2 વિસ્ફોટ થયા હતા. ઉધમપુરના  ડોમેલ ચોક ખાતે પેટ્રોલ પંપ પાસે ઉભેલી પેસેન્જર બસમાં બુધવારે  રાત્રે લગભગ 10.30 વાગ્યે વિસ્ફોટ (Blast) થયો હતો. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે સવારે  જુના બસ સ્ટેન્ડ પાસે બીજી બસમાં પણ વિસ્ફોટ થયો હતો.પોલીસ (Police) અને અન્ય એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બ્લાસ્ટ થયો ત્યારે બસમાં કોઈ મુસાફર હાજર નહોતો, નહીંતર મોટી ઘટના બની હોત. ઉધમપુરમાં પેટ્રોલ પંપ પર પાર્ક કરેલી ખાલી બસમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. રાત્રે 10.30 વાગ્યે થયેલા આ જોરદાર બ્લાસ્ટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ આતંકવાદી હુમલો છે કે નહીં, મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનામાં જાનહાનિ નહીં
જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે રાતના 10.30 વાગ્યા હતા. જેના કારણે પાર્ક કરેલી બસમાં મુસાફરો ન હતા. એવી અટકળો છે કે આ એક આતંકવાદી ષડયંત્ર પણ હોઈ શકે છે, કારણ કે જો ડીઝલ ટેન્કમાં આગ લાગી હોત તો વિસ્ફોટ બાદ બસમાં આગ લાગી હોત. જો કે બસમાં બ્લાસ્ટ થવા પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને અન્ય એજન્સીઓ દરેક એંગલથી તપાસ કરી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીના આગમન પૂર્વે બ્લાસ્ટ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. તેમના પ્રવાસની તૈયારીઓ વચ્ચે પેટ્રોલ પંપ પર ઉભેલી બસમાં આ જોરદાર વિસ્ફોટ થયો હતો. પાછળથી બીજી બસમાં વિસ્ફોટ થયો. ઉધમપુરના ડોમેલ ચોક પાસે પેટ્રોલ પંપ પર ઉભેલી બસમાં ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યે વિસ્ફોટ થયો હતો. બરાબર બીજો વિસ્ફોટ આજે સવારે લગભગ 6 વાગ્યે જૂના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી બસમાં થયો હતો. જેમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
આતંકવાદી કૃત્યની આશંકા
બસ બ્લાસ્ટની ઘટનાને પ્રાથમિક દ્રષ્ટિએ આતંકવાદી કાવતરું માનવામાં આવી રહ્યું છે. સેના, સીઆરપીએફ અને પોલીસે વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ઉધમપુરના જૂના હાઈવે પર ટીસીપી ડોમેલ વિસ્તારમાં આવેલા બૈગરા પેટ્રોલ પંપ પર એક મિની બસ સહિત છ બસ ઉભી હતી. બ્લાસ્ટની ઘટનામાં બસ કંડક્ટર સુનિલ સિંહ અને મિની બસ કંડક્ટર વિજય કુમાર ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વિસ્ફોટથી આસપાસની ઈમારતો ધ્રુજી ઉઠી
બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના રહેણાંક વિસ્તારોની ઈમારતોમાં પણ આંચકા અનુભવાયા હતા. પોલીસ, સેના અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ કરી. કંડકટર તાડપત્રીથી સામાન ઢાંકીને બસમાં સુઈ ગયો હતો. થોડી જ વારમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

રાજૌરી અને પુંછ સેક્ટરમાં ફરી આતંકી ગતિવિધિઓ
તાજેતરમાં સુરક્ષા દળો દ્વારા આતંકવાદને કાબૂમાં લેવા માટે ઝડપી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આતંકીઓ સાથે અથડામણની ઘટનાઓ પણ બની રહી છે. રાજૌરી અને પુંછ જિલ્લા ફરી આતંકવાદી ગતિવિધિઓની પકડમાં આવી ગયા છે. ફેબ્રુઆરી 2021 માં યુદ્ધવિરામ કરાર પછી ગોળીબાર તો બંધ થયો છે પરંતુ ઓવર ગ્રાઉન્ડ નેટવર્ક ખૂબ સક્રિય થઈ ગયું છે.
Advertisement
Tags :
Advertisement

.

×