ઉદ્ધવ ઠાકરેના આકરા પ્રહાર, કહ્યું, એકનાથ શિવસેનાના મુખ્યમંત્રી નથી
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે. તેઓ શુક્રવારે શિવસેના ભવન પહોંચ્યા હતા અને મરાઠી કાર્ડ રમીને પાર્ટી પર દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે એકનાથ શિંદે શિવસેનાના મુખ્યમંત્રી નથી.ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં જે રીતે સત્તાની રમત રમાઈ છે તેમાં લોકશાહીની મજાક ઉડાવવામાં આવી છે. તેમણે કહ્યું કે હà«
Advertisement
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે. તેઓ શુક્રવારે શિવસેના ભવન પહોંચ્યા હતા અને મરાઠી કાર્ડ રમીને પાર્ટી પર દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે એકનાથ શિંદે શિવસેનાના મુખ્યમંત્રી નથી.
ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં જે રીતે સત્તાની રમત રમાઈ છે તેમાં લોકશાહીની મજાક ઉડાવવામાં આવી છે. તેમણે કહ્યું કે હું કહીશ કે મતદારોને જરૂર પડ્યે જે લોકોએ મતદાન કર્યું છે તેમને પાછા બોલાવવાનો અધિકાર હોવો જોઈએ.
તેમણે કહ્યું કે ભલે કેટલાક લોકોએ સત્તા માટે મોટી રમત રમી પરંતુ મારા દિલમાંથી તેઓ મહારાષ્ટ્રને બહાર કાઢી શકશે નહી. અહીં લોકશાહીની મજાક ઉડાવવામાં આવી રહી છે. સત્તામાં આવતાની સાથે જ આ લોકોએ આરેના નિર્ણયને પલટી નાખ્યો છે. તેમણે કહ્યું કે મુંબઈના પર્યાવરણ સાથે ચેડાં ન થવુા જોઈએ. હું આ લોકોને અપીલ કરું છું કે મહારાષ્ટ્રને બરબાદ ન કરો. મને મુખ્યમંત્રીની ખુરશી પર જવાનો અફસોસ નથી, પરંતુ મારી પીઠમાં ખંજર ભોંકવામાં આવ્યું છે. જો ભાજપ અમારી સાથે આવ્યો હોત તો તેઓ ઓછામાં ઓછા અઢી વર્ષ મુખ્યમંત્રી રહ્યા હોત, પરંતુ હવે તેમને શું મળ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસના ડેપ્યુટી સીએમ બનવા પર કટાક્ષ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 2019 માં આ મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદ હતા. ત્યારે શિવસેનાએ કહ્યું કે બીજેપીએ તેમને અઢી વર્ષના સીએમનું વચન આપ્યું હતું, જેનું પાલન કરવું જોઈએ. બીજી બાજુ દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરેએ આવા કોઈ વચનનો ઈન્કાર કર્યો હતો. હવે કદાચ ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને સીએમ બનાવીને ભાજપને શું મળ્યું તેના પર કટાક્ષ કર્યો છે.
એટલું જ નહીં, ફરી એકવાર મરાઠી કાર્ડ રમતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'હું રાજ્યની જનતા અને શિવસૈનિકોને કહેવા માંગુ છું કે હું ક્યારેય તેમની સાથે દગો નહીં કરું. તમારા તરફથી મને મળેલો પ્રેમ હું ભૂલી શકતો નથી. સત્તા આવે છે અને જાય છે. તેમણે કહ્યું કે અમે એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો સાથે વાત કરી, પરંતુ તેઓ માન્યા ન હતા. સ્પષ્ટ છે કે આ ઘટના રાતોરાત બની નથી, પરંતુ આ ખેલ ઘણા સમયથી ચાલતો હતો.


