Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જીવિત પરિજનનું સપનામાં મૃત્યુ થતું દેખાય, તેનો અર્થ ગરુડપુરાણ અનુસાર શું થાય?

હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ અને આશીર્વાદ મેળવવા માટે લોકો શ્રાદ્ધ, તર્પણ, પિંડ દાન વગેરે કરે છે. હિન્દુ ધર્મની માન્યતાઓમાં પિતૃ પક્ષ દરમિયાન કોઈ શુભ કાર્ય કે પૂજા કરવામાં આવતી નથી. કારણ કે આ 15-દિવસનો પક્ષ ફક્ત પિતૃ (મૃત પૂર્વજો) માટે નિશ્ચિત હોય છે. આ દરમિયાન જો તમે દાન કરો છો, ભૂખ્યાને ભોજન આપો છો, તો એવું માનવામાં આવે છે કે તેનું પુણ્ય તમા
જીવિત પરિજનનું સપનામાં મૃત્યુ થતું દેખાય  તેનો અર્થ ગરુડપુરાણ અનુસાર શું થાય
Advertisement
હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ અને આશીર્વાદ મેળવવા માટે લોકો શ્રાદ્ધ, તર્પણ, પિંડ દાન વગેરે કરે છે. હિન્દુ ધર્મની માન્યતાઓમાં પિતૃ પક્ષ દરમિયાન કોઈ શુભ કાર્ય કે પૂજા કરવામાં આવતી નથી. કારણ કે આ 15-દિવસનો પક્ષ ફક્ત પિતૃ (મૃત પૂર્વજો) માટે નિશ્ચિત હોય છે. આ દરમિયાન જો તમે દાન કરો છો, ભૂખ્યાને ભોજન આપો છો, તો એવું માનવામાં આવે છે કે તેનું પુણ્ય તમારા પૂર્વજોની આત્માને શાંતિ આપે છે. આ દરમિયાન જો તમારા મૃત સ્વજનો સપનામાં જોવા મળે છે, તો તેનાથી તમને ઘણા સંકેતો મળી શકે છે.
ઘણી વખત એવું બને છે કે તમને કોઈ સ્વર્ગવાસી થયેલા પરિવારના સભ્ય સાથે એટલો લગાવ હોય છે, કે તે તમને સપનામાં પણ દેખાય છે. ગરુડ પુરાણ અનુસાર પિતૃ પક્ષના સપનામાં પરિવારના સભ્યોનું સપનામાં દેખાવું, વિશેષ પ્રકારનો સંકેત મળે છે. તમને એ પણ સંકેત મળે છે કે, તે પૂર્વજો તમારી પાસેથી શું અપેક્ષા રાખે છે. તેમની આત્માને શાંતિ મળે કે નહીં. આવો જણાવીએ કેટલાક સ્વપ્ન વિચારો અને તેના અર્થ (relative in dreams meaning)
સ્વપ્નમાં મૃતક પરિવારના સભ્યને બીમાર અથવા મુશ્કેલીમાં જોવું
જો તમારા પરિજન સ્વસ્થ અવસ્થામાં અથવા તેમની ઉંમર પૂર્ણ કર્યા પછી સ્વર્ગવાસી થયા હોય અને તે સપનામાં બીમાર દેખાય, તે તેનો અર્થ એ છે કે તેમની આત્માને શાંતિ મળી નથી. સપનામાં આવીને પરિજન એ સંકેત આપે છે કે તમારે તેમના આત્માની શાંતિ માટે કંઈક કરવું જોઈએ. આવી સ્થિતિમાં તમારા પંડિત અથવા વડીલોની સલાહ મુજબ તર્પણ, શ્રાદ્ધ અથવા દાન કરવું જોઈએ.
સ્વપ્નમાં મૃતક પરિજનનું સ્વસ્થ અથવા ખુશ દેખાવું
જો તમારા સપનામાં પરિજન સ્વસ્થ અથવા ખુશ દેખાય, તો તે સંકેત છે કે તેમની આત્માને શાંતિ મળી ચૂકી છે. અને તેમને કોઈ જ સમસ્યા નથી. તમારે પણ તેમને વારંવાર યાદ કરીને પરેશાન ન કરવું જોઈએ.
જીવતાને સપનામાં મરેલું જોવું
જો તમે સપનામાં કોઈ જીવિત વ્યક્તિને મૃત અવસ્થામાં જુઓ છો તો, સ્વપન વિચાર પ્રમાણે તે વ્યક્તિની ઉંમર વધવાની નિશાની છે.
નિષ્ણાતોના મતે, મૃતક પરિવારના સભ્યને યાદ કરવાથી અથવા તેની ચર્ચા કરવાથી તમને અને તમારા પરિજનની આત્માને દુઃખ થાય છે. એટલે જેણે આ સંસાર છોડી દીધો છે તેના વિશે ઓછામાં ઓછું ધ્યાન કરવું જોઈએ. નિષ્ણાતો એવું પણ માને છે કે કેટલાક લોકો તેમની ઉંમર પૂરી કર્યા વિના જ ગુજરી જાય છે, જ્યારે તેમાંથી કેટલાક પ્રેત યોનિ (ફેન્ટમ યોનિ)માં જાય છે. સારા સ્વભાવની વ્યક્તિનો આત્મા કોઈને તકલીફ આપતો નથી. પરંતુ દુષ્ટ સ્વભાવના લોકોની આત્મા પરેશાન કરી શકે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે. જે ફક્ત સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી છે.
Tags :
Advertisement

.

×