તમારા જીવને જોખમ: અમદાવાદના 4 બ્રિજ જર્જરિત સ્થિતમાં, જાણો કેવી છે હાલત?
- Ahmedabad 4 Bridge Defects : સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ
- સુભાષ, સરદાર, ગાંધી અને ગુરુજી બ્રિજમાં ગંભીર ક્ષતિઓ અને સળિયા દેખાયા
- સુભાષ બ્રિજમાં ક્રેક્સ મળતા 25 ડિસેમ્બર સુધી બંધ કરાયો
- સરદાર અને ગાંધી બ્રિજના સમારકામ માટે AMCએ રૂ.21.55 કરોડ મંજૂર કર્યા
- બ્રિજ બંધ થવાથી વાડજ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ
Ahmedabad 4 Bridge Defects : અમદાવાદમાં એક પછી એક બ્રિજમાં ક્ષતિઓ સામે આવી રહી છે, જેના કારણે લોકોના જીવન પર જોખમ વધી રહ્યું છે. સુભાષ બ્રિજ, સરદાર બ્રિજ, ગુરુજી બ્રિજ અને હવે ગાંધી બ્રિજમાં પણ અનેક જગ્યાએ પોપડા ઉખડ્યા છે અને સળિયા દેખાવા લાગ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા બ્રિજોની તપાસ અને સમારકામની યોજનાઓ જાહેર કરવામાં આવી છે, પરંતુ તંત્રની બેદરકારીને કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે.
સુભાષ બ્રિજ, જે 52 વર્ષ જૂનો છે, તેમાં તાજેતરમાં ક્ષતિઓ મળી આવી છે. 4 ડિસેમ્બરથી તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. એએમસીના અધિકારીઓએ જણાવ્યું કે, 2023થી ત્રણ વખત વિઝ્યુઅલ તપાસમાં કોઈ ક્ષતિ નહોતી મળી, પરંતુ હવે તેમાં ક્રેક્સ અને ભાગો ડૂબી જવાની સમસ્યા સામે આવી છે. બ્રિજને 25 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ છે, જેના કારણે વાડજ સર્કલ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા વધી છે. લોકોને વિકલ્પ તરીકે દધીચી બ્રિજ અને ડફનાલા અંડરપાસનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
Ahmedabad : સુભાષ બ્રિજ બાદ હવે સરદાર બ્રિજમાં પણ ગાબડાં! | Gujarat First
અમદાવાદના સુભાષ બ્રિજ બાદ હવે સરદાર બ્રિજમાં પણ ગાબડાં પડતાં ઉઠયા સવાલ
સરદાર બ્રિજના જોઈન્ટ્સમાં ગાબડાં પડતાં લોખંડના સળિયા દેખાયા
બ્રિજનું તાત્કાલિક સમારકામ થાય તેવી લોકોની માગ#Gujarat #Ahmedabad… pic.twitter.com/FFony9Gx2N— Gujarat First (@GujaratFirst) December 11, 2025
સરદાર બ્રિજમાં પણ પડ્યા ગાબડાં
સરદાર બ્રિજમાં પણ જોઈન્ટ્સમાં ગાબડાં પડ્યા છે, જેના કારણે લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. આ બ્રિજ પર ટ્રક અને ટ્રેલર જેવા ભારે વાહનોનો સતત અવરજવર ચાલુ છે, જે તેની જર્જરિતતા વધારી રહ્યો છે. બંને બાજુના જોઈન્ટ્સ જર્જરિત થઈ ગયા છે, અને લોકો જીવના જોખમે તેના પરથી પસાર થઈ રહ્યા છે.
Ahmedabad 4 Bridge Defects : 21.55 કરોડ રૂપિયા સમારકામ માટે મંજૂર
એએમસીએ ગાંધી બ્રિજ, સરદાર બ્રિજ અને પરિક્ષિતલાલ મજમુદાર બ્રિજના સમારકામ માટે 21.55 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આમાં 89 સ્પાનને લિફ્ટ કરીને બેરિંગ્સ બદલવાનું કામ શામેલ છે. ગાંધી બ્રિજમાં ઓક્ટોબરમાં બેરિંગ્સ બદલાયા પછી તેનું લેવલ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ પિલર્સમાં સળિયા દેખાઈ રહ્યા છે.
Ahmedabad 4 Bridge Defects : ગુરુજી બ્રિજની હાલ પણ ચિંતાજનક
ગુરુજી બ્રિજ, જે મણિનગરમાં 2009માં 24.73 કરોડના ખર્ચે બનાવાયો હતો, તેમાં પણ હાટકેશ્વરથી માત્ર 500 મીટર દૂર સળિયા દેખાઈ રહ્યા છે. આ બ્રિજ માત્ર 16 વર્ષ જૂનો છે, તેમ છતાં તેની સ્થિતિ ચિંતાજનક છે. જુલાઈ 2025માં ગુજરાતમાં ગંભીરા બ્રિજના પતન પછી એએમસીએ 15 વર્ષથી જૂના બ્રિજોનું સ્ટ્રક્ચરલ ઓડિટ શરૂ કર્યું છે. આ વર્ષે રાજ્યમાં 178 બ્રિજોને વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે.
તાત્કાલિક સમારકામની લોકની માગ
લોકો તાત્કાલિક સમારકામની માગ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે, જો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદારી કોણ લેશે? વિપક્ષી નેતાઓએ એએમસી અધિકારીઓ પર ડિઝાઈનમાં ફેરફાર અને કોન્ટ્રાક્ટર્સને લાભ આપવાના આરોપ લગાવ્યા છે. તંત્રને જાગૃત થઈને તમામ બ્રિજોનું તાત્કાલિક નિરીક્ષણ અને સમારકામ કરવું જોઈએ, જેથી શહેરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય.
આ પણ વાંચો : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પાકિસ્તાન-અફઘાની હિન્દુ પરિવારોને આપી ભારતીય Citizenship


