Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Plane Crash : 231 હતભાગીના DNA મેચ થયા, 8 પરિવાર હજું પણ જોઈ રહ્યા છે રાહ!

અત્યાર સુધીમાં 231 હતભાગીઓનાં DNA મેચ થયા છે. જ્યારે, 210 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે.
ahmedabad plane crash   231 હતભાગીના dna મેચ થયા  8 પરિવાર હજું પણ જોઈ રહ્યા છે રાહ
Advertisement
  1. અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને મહત્ત્વના સમાચાર (Ahmedabad Plane Crash)
  2. દુર્ઘટનાનાં 231 હતભાગીના DNA મેચ થયા
  3. 210 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા
  4. 10 લોકો સાથે અમે સંપર્કમાં છીએ : ડૉ. રાકેશ જોશી

Ahmedabad Plane Crash : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓની ઓળખ કરવા માટે હજું પણ DNA ટેસ્ટની પ્રક્રિયા યથાવત છે. અત્યાર સુધીમાં 231 હતભાગીના DNA મેચ થયા છે. જ્યારે, 210 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. હજું પણ 8 પરિવાર પોતાના સ્વજનોનાં DNA મેચની રાહ જોઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ (Dr. Rakesh Joshi) જણાવ્યું કે, 3 મૃતદેહનું એર ક્લિઅરન્સ બાકી છે, જે મળી જતાં તેમના પરિજનોને સોંપી દેવામાં આવશે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : વધુ એક દુ:ખદ સમાચાર, ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ કાલાવાડિયાનું મોત

Advertisement

દુર્ઘટનાનાં 231 હતભાગીઓનાં DNA મેચ થયા

અમદાવાદનાં મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું વિમાન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે અથડાયું હતું, જે બાદ ભયંકર વિસ્ફોટ (Ahmedabad Plane Crash) થયો હતો. આ રૂંવાડા ઊભા કરે એવી દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકો સહિત બિલ્ડિંગમાં હાજર 5 થી વધુ તબીબનાં મોત નીપજ્યા હતા. મૃતદેહ ગંભીર રીતે બળી જતાં તેમની ઓળખ કરવી મુશ્કેલ બની હતી. આથી, પરિવારજનોનાં DNA સેમ્પલ લઈ મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 231 હતભાગીના DNA મેચ થયા છે. જ્યારે, 210 મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યા છે. જો કે, હજું પણ 8 પરિવાર પોતાનાં સ્વજનોનાં DNA મેચની રાહ જોઈ રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Junagadh : વિસાવદર વિધાનસભા ચૂંટણી અંગે મોટા સમાચાર, આવતીકાલે આ બે બુથ પર પુનઃ મતદાન

3 પાર્થિવદેહનું એર કિલઅરન્સ હજું બાકી છે : ડૉ. રાકેશ જોશી

સિવિલ હોસ્પિટલનાં (Civil Hospital) સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે, 10 લોકો સાથે અમે સંપર્કમાં છીએ. તેમને જલ્દીથી પાર્થિવદેહ સોંપવામાં આવશે. 3 પાર્થિવદેહનું એર કિલઅરન્સ હજું બાકી છે. તે મળી જતાં તેમના પરિવારજનોને પણ મૃતદેહ સોંપી દેવામાં આવશે. જણાવી દઈએ કે, ઘટના બાદથી મેડિકલ, પોલીસની વિવિધ ટીમો સતત ખડેપગે રહી કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો - Rajkot : અમિત ખૂંટ કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ ગોંડલ કોર્ટમાં નોંધાવી ફરિયાદ

Tags :
Advertisement

.

×