અમરેલી જિલ્લાના સાવરકુંડલા APMC માં ગઇકાલે વેપારીઓની વીજ હડતાળને કારણે 300 જેટલા ખેડૂતોની પારાવાર પરેશાની વચ્ચે યાર્ડના 700 આસપાસના મજૂરોની સ્થિતિ કફોડી બની છે ને યાર્ડ દ્વારા વેપારીઓની જો હુકમી સામે યાર્ડ માંથી વેપારીઓનો માલ પણ યાર્ડમાં હડતાળ ને પગલે બહાર લઈ જવાનું ફરમાન કરતા વેપારીઓ પણ સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ છે.
બેકાર બનેલા મજૂરો વેપારીઓ સામે હૈયા વરાળ ઠાલવી
સાવરકુંડલા APMC માં બે દિવસ પહેલા રાધારમણ ટ્રેડિંગ કંપની દ્વારા ખેડૂત સાથે ગેરવર્તન બાદ યાર્ડ દ્વારા નોટીસ પાઠવતા વેપારીએ સામી નોટીસ યાર્ડમાં પાઠવીને જાહેર હરરાજી બંધ રાખવાનો નિર્ણય લેતા ગઈકાલે 300 આસપાસ ના ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા હતા ને આજે પણ વીજળીક હડતાળ યથાવત રહેતા બહાર તાલુકા માંથી આવેલા ખેડૂતો હેરાન થયા ને ખેત જણસો ઢાંકી ઢાંકીને મૂકીને ચાલ્યા ગયા પણ અચાનક હડતાળને પગલે યાર્ડમાં 700 આસપાસના મજૂરો જે ટકનું લાવીને ટકનું કમાતા હોય તેવી ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે ત્યારે બેકાર બનેલા મજૂરો વેપારીઓ સામે હૈયા વરાળ ઠાલવી હતી
સાવરકુંડલા યાર્ડ દ્વારા વેપારીઓએ હડતાળ પર
સાવરકુંડલા યાર્ડ દ્વારા વેપારીઓએ હડતાળ પાડીને ખેડૂતોને પારાવાર પરેશાન કર્યા પણ મજૂરો પણ બેકાર થઈ ગયા છે જ્યારે યાર્ડ માં મગફળી, કપાસ ના ઢગલા યથાવત પડ્યા છે જેથી ખેડૂતોની આવેલ ખેત જણસો યાર્ડ દ્વારા ખરીદ કરીને ખેડૂતોની પરેશાની દૂર થાય તેવા પ્રયાસો શરૂ થયા છે ને યાર્ડ દ્વારા ખેત જણસો લઈને આવેલા ખેડૂતો માટે નાસ્તા, જમવાની અને સૂવાની વ્યવસ્થા યાર્ડ સતાધીશોએ કરી હોવાનો ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે વેપારીઓ યાર્ડ માં હડતાળ પાડીને ખાનગી ચર્ચાઓ કરી રહ્યા છે પણ ખેડૂતો પરેશાન છે તો મજૂરો બેકાર બન્યા છે
700 થી વધુ મજૂરો બે રોજગાર બન્યા
જ્યારે એપીએમસીના ચેરમેન દીપક માલાણી એ જણાવ્યું હતું કે સાવરકુંડલા યાર્ડમાં વેપારીઓ અને યાર્ડ દ્વારા નોટીસ મામલે થયેલા ગજગ્રાહ બાદ હડતાળ પડી પણ બેકાર બનેલા 700 આસપાસના મજૂરો પરેશાન થઈ ગયા છે તો યાર્ડ સતાધીશોએ ખેડૂતોની ખેત જણસો ખરીદવાની હડતાળ તો યાર્ડના વેપારીઓની ખરીદેલી ખેત જણસો પણ બહાર લઈ જવાની પાબંધીથી વેપારીઓ અકળાયા છે ને જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સમાધાન બેઠકોનો દોર શરૂ થયો છે ને પરિણામ લક્ષી પરિણામ આવશે કે કેમ તેને લઈને ખેડૂતો એને મજૂરો કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો –ભારતના સૌથી નાની ઉંમરના IPS સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા