Home » વારંવાર એક જ મહિલા કોન્સ્ટેબલનું અપહરણ કેમ?, છ દિવસ બાદ મહિલા પોલીસ સમક્ષ જાતે જ હાજર
વારંવાર એક જ મહિલા કોન્સ્ટેબલનું અપહરણ કેમ?, છ દિવસ બાદ મહિલા પોલીસ સમક્ષ જાતે જ હાજર
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.
102
અહેવાલ – પીન્ટુ પટેલ , વડોદરા
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મોટાહબિપુરા ગામે રહેતા અને હાલ રાજકોટ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મણીબેન ચૌધરીનું ફરી એક વખત અપહરણ થયા હોવાની ફરિયાદ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં 15 જેટલા ઇસમો સામે રાયોટીંગ સાથે અપહરણ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદના છ દિવસ બાદ આ મહિલા કોન્સ્ટેબલ જાતે પોલીસ સમક્ષ મોટું નિવેદન આપતા સમગ્ર ઘટના બહાર આવી હતી.
મણીબેન ચૌધરીનું નિવેદન
વડોદરા જિલ્લાના મોટા હબીપુરા ખાતેથી મણીબેન ચૌધરીનું અપહરણ થયા અંગેનો ગુનો ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. પરંતુ છ દિવસ બાદ મણીબેન ચૌધરીના અપહરણ મામલે વિડિયો રેકોર્ડિંગ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું છે, જેમાં તેમને જાતે કબૂલ્યું છે કે મારું કોઈ અપહરણ થયું ન હતું. હું જાતે જ પોતાની મરજીથી ગઈ હતી. મેં જ મારા પરિવારને જાતે બોલાવ્યા હતા અને આ મામલે 164 મુજબ નિવેદન લેવામાં આવ્યું હતું. સાથે ફરિયાદી શબ્દોનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. મનીષ ચૌધરી પોતાના વતન ડિશામાં ગયા હતા અને ફરિયાદ થઈ હોવાની જાણ થતા તેઓ વડોદરા શહેર સીટી અને ત્યારબાદ એલસીબી સમક્ષ હાજર થઈ નિવેદન આપ્યું હતું.
અપહરણ મામલે વધુ વિગત
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના હબીપુરા ગામે મણીબેન ચૌધરી વધુ એકવાર અપહરણ થયું હોવાના સમાચાર આવતાં જ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. પરંતુ આ મહિલા કોન્સ્ટેબલનું વારંવાર અપહરણ થવા પાછળનું પણ કંઈક મોટું રહસ્ય હોય તેમ જણાય આવ્યું હતું. આ મહિલા કોન્સ્ટેબલે વિધર્મી યુવક સાથે મૈત્રી કરાર કરી સાથે રહેતી હતી.
અગાઉ પણ એકવાર પ્રેમી સાથે ભાગી જઈ નાટકાત્મક રીતે પાછી ફરી હતી. ત્યારબાદ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ડેસર પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી. ત્યાંથી પણ તેઓનું અપહરણ થતું અને પોલીસ ફરિયાદ નોંધાવતા પરત ફરતા સમગ્ર મામલો ઠારે પડ્યો હતો. આ જ મહિલા કોન્સ્ટેબલની રાજકોટ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવાતી હતી અને ફરી એકવાર 15 જેટલા અજાણ્યા ઈસમોએ તેનું અપહરણ કર્યું હોવાની ફરિયાદો નોંધાઈ હતી.
આજે આ ફરિયાદમાં પણ અપહરણ નહીં પરંતુ પોતાની મરજીથી પરિવારને બોલાવ્યા અને તે પોતાની માતાની ખબર જોવા માટે ગઈ હોવાનું નિવેદન આપી નાટકાત્મક રીતે પરત ફરતા અનેક તર્ક વિચારકો જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ વારંવાર પોતાની ફરજ ઉપર હાજર રહીને આવા નાટ્યાત્મક કૃતિઓ કરવા છતાં પણ વહીવટી તંત્ર કેમ આ મહિલા કોન્સ્ટેબલ સામે વિસ્તૃત પગલા ભરતું નથી.
મહિલા કોન્સ્ટેબલ પોતાની જાતે જ હાજર
મળતી માહિતી મુજબ મહિલા કોન્સ્ટેબલના અપહરણ કેસમાં તપાસમાં જાણવા મળ્યું હતું કે આ મહિલા કોન્સ્ટેબલે નિવેદન આપ્યું છે કે મેં મારી મરજીથી મારી જાતે જ મારા માતા-પિતા અને મારા કુટુંબી ભાઈ ને મેસેજ કર્યો તો કે મારે મારી બા ની ખબર કાઢવા જવું છે. પરિવારજનો લેવા આવ્યા હતા અને ઘરમાં કોઈને ખબર નથી અને જેને કારણે જપાજપી થઈ હતી.
આ પણ વાંચો — Gujarat : વીજળી પડવાના કારણે થયેલા મૃત્યું અંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહે દુ:ખ વ્યક્ત કર્યુ
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.