મધ્યપ્રદેશથી એક મોત સમાચાર સામે આવી રહ્યા છે. અહીં એક ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો છે. ત્રણ મલગાડીઓ એક સાથે અથડાતાં ઘટનાસ્થળે અફરાતફરીનો મહિલ સર્જાયો હતો. આ હ્રદયસ્પર્શી અકસ્માતમાં 1 લોકો પાઇલટનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 અન્ય રેલ્વે કર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. શરૂઆતમાં, સ્થળ પર તૈનાત કર્મચારીઓને સમજાયું નહીં કે આ અચાનક કેવી રીતે થયું. આ બધાની વચ્ચે મોટો સવાલ એ છે કે જ્યારે એક ગુડ્સ ટ્રેન પહેલેથી જ એક ટ્રેક પર ઉભી હતી, ત્યારે બીજી ટ્રેનને તે જ લાઇન પર આવવાનું સિગ્નલ કેવી રીતે આપવામાં આવ્યું?
મળતી માહિતી મુજબ, ત્રણ માલગાડીઓ એકસાથે અથડાઈ જવાની આ ઘટના સવારે 6.25 કલાકે બની હતી. શહડોલને અડીને આવેલા સિંહપુર રેલવે સ્ટેશન પર એક માલગાડી પહેલેથી જ ઊભી હતી તે જ સમયે બીજી માલગાડી આવી અને તેની સાથે અથડાઈ હતી. દુર્ઘટના સમયે સિંહપુર સ્ટેશન પરથી બીજી એક માલગાડી પસાર થઈ રહી હતી, જે તેની સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે ટ્રેનના એન્જિનમાં આગ લાગી ગઈ હતી અને માલગાડીના વેગન એકબીજા પર ચઢી ગયા હતા. અકસ્માતને કારણે આ સેક્શન પર ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં એક લોકો પાયલટનું મોત થયું છે, જ્યારે અન્ય બે રેલવે કર્મચારીઓ ઘાયલ થયા છે.
#WATCH | Shahdol, MP: Two goods trains collided with each other near Singhpur railway station. The engines of the trains caught fire after the collision. The drivers have been injured, and two railway workers feared trapped. pic.twitter.com/3cEyCfA7xP
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 19, 2023
લોકો પાયલોટનું મોત
આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં એક લોકો પાયલટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઉપરાંત અન્ય બે રેલ્વે કર્મીઓને ઈજા થઈ હોવાની માહિતી મળી હતી. હાલ તો ખબર નથી કે એક લાઇન પર ગુડ્સ ટ્રેન પહેલેથી જ ઊભી હતી, તો બીજી ટ્રેનને એ જ ટ્રેક પર આવવાની મંજૂરી કેવી રીતે મળી? આ સવાલનો જવાબ તપાસ બાદ જ મળી શકશે. સિંહપુર રેલ્વે સ્ટેશન બિલાસપુર-કટની રેલ્વે લાઇન પર આવે છે. એક પછી એક 3 માલગાડીઓના અકસ્માતને કારણે આ સેક્શન પર ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ છે.
સદનસીબે અકસ્માત સમયે સ્ટેશન પર કોઈ પેસેન્જર ટ્રેન ન હતી
આ ભયાનક ટ્રેન અકસ્માત સમયે સિંહપુર રેલવે સ્ટેશન પર કોઈ પેસેન્જર ટ્રેન ન હતી. તે સમયે ત્યાંથી કોઈ પેસેન્જર ટ્રેન પણ પસાર થઈ ન હતી, નહીંતર મોટી સંખ્યામાં લોકોના મોત થઈ શક્યા હોત. જ્યારે ત્રણ માલગાડીઓ એકબીજા સાથે અથડાઈ ત્યારે સ્થળનું દૃશ્ય ખૂબ જ ડરામણું હતું. અનેક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. ત્યાં પણ આગ લાગી હતી.
આ પણ વાંચો : હરિયાણાના કરનાલમાં મોટી દુર્ઘટના, રાઇસ મિલની ઇમારત ધરાશાયી થતાં 4 મજૂરોના મોત, 20 ઘાયલ