છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવી છે. ઉજ્જૈન દક્ષિણથી ભાજપા ધારાસભ્ય ડો. મોહન યાદવને રાજ્યના નવા મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. બીએસસી, એલએલબી અને પીએચડીની ડિગ્રી હાંસલ કરી ચૂકેલા મોહન યાદવ શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષામંત્રી રહી ચૂક્યા છે.
આજે મધ્યપ્રદેશમાં કેન્દ્ર દ્વારા નિમણૂક નિરીક્ષકોની હાજરીમાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણથી ભાજપા ધારાસભ્ય છે અને શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષામંત્રી રહી ચૂક્યા છે. તેમના નેટવર્થની વાત કરીએ તો તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે ચૂંટણી પંચને સોંપેલા એફિડેવિટમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
રાજ્યના ધનવાન નેતાઓમાં ગણતરી!
મીડિયા અહેવાલ અનુસાર, મધ્યપ્રદેશના નવા સીએમ પાસે કુલ 42 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની ગણતરી રાજ્યના ધનવાન નેતાઓમાં થયા છે. એફિડેવિટ મુજબ, તેમની પાસે 1.41 લાખ રૂપિયાની કેસ, તેમની પત્ની પાસે રૂ. 3.38 લાખની રોકડ છે. બેંક ખાતાની વાત કરીએ તો તેમના અને તેમની પત્નીના અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂ. 28.68 લાખથી વધુ જમા છે. આ પહેલા વર્ષ 2018માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં મહત્તમ સંપત્તિ જાહેર કરનારા ટોચના 3 મંત્રીઓમાં પહેલા નંબરે ભૂપેન્દ્ર સિંહ અને બીજા નંબર પર મોહન યાદવનું નામ હતું. જણાવી દઈએ કે, તાજેતરમાં રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણથી ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસના ચેતન પ્રેમનારાયણ યાદવને હરાવ્યા હતા.
#WATCH | Madhya Pradesh CM-designate Mohan Yadav says, "I thank PM Modi, Amit Shah, JP Nadda, Shivraj Singh Chouhan, VD Sharma for giving me such a big responsibility. It is only the BJP party which can give such a big responsibility to a small worker like me. I will take forward… pic.twitter.com/Pa4daBDaBs
— ANI (@ANI) December 11, 2023
મોહન યાદવનો રાજકીય સફર
મોહન યાદવનો જન્મ 25 માર્ચ 1965માં ઉજ્જૈનમાં થયો હતો. વર્ષ 1982માં માધવ સાયન્સ કોલેજ સ્ટુડન્ટ યુનિયનના જોઈન્ટ સેક્રેટરી અને 1984માં પ્રમુખ બન્યા હતા. ત્યાર બાદ 1984માં જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ઉજ્જૈન શહેરમંત્રી, વિભાગના વડા અને 1988માં રાજ્ય જનરલ સેક્રેટરી અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા હતા. સાલ 1993-95માં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ઉજ્જૈનના સહ-વિભાગ કાર્યવાહ, 1998માં પશ્ચિમ રેલવે બોર્ડની સલાહકાર સમિતિના સભ્ય, 1999માં ‘B.J.Y.M. ઉજ્જૈન વિભાગના પ્રભારી, 2004માં ભાજપના રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય બન્યા.
ત્યાર બાદ સાલ 2004-2010માં ઉજ્જૈન ડેવલપમેન્ટ ઓથોરિટી (રાજ્યમંત્રીનો દરજ્જો)ના અધ્યક્ષ રહ્યા. વર્ષ 2011-2013માં એમપી રાજ્ય પ્રવાસન વિકાસ નિગમ, ભોપાલના પ્રમુખ (કેબિનેટ મંત્રીનો દરજ્જો) બન્યા, 2013-2016માં ભાજપના ઓલ ઈન્ડિયા કલ્ચરલ સેલના કો-ઓર્ડિનેટર, વર્ષ 2013 અને 2018માં વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને 2 જુલાઈ, 2020ના રોજ મંત્રી તરીકે તેમણે શપથ લીધા હતા.
આ પણ વાંચો – મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે મોહન યાદવની જાહેરાત