Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59,210 થઇ, આજે નોંધાયા માત્ર આટલા કેસ

દેશમાં કોરોનાના કેસમાં ઉકાર-ચઢાવ યથાવત છે. ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 6,168 નવા કેસ નોંધાયા બાદ, દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,44,42,507 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 59,210 થઈ ગઈ છે.ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં ચેપને કારણે વધુ 21 લોકોના મોત થયા બાદ મૃત્àª
દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59 210 થઇ  આજે નોંધાયા માત્ર આટલા કેસ
Advertisement
દેશમાં કોરોનાના કેસમાં ઉકાર-ચઢાવ યથાવત છે. ત્યારે આજે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણના 6,168 નવા કેસ નોંધાયા બાદ, દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,44,42,507 થઈ ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 59,210 થઈ ગઈ છે.
ગુરુવારે સવારે 8 વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, દેશમાં ચેપને કારણે વધુ 21 લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 5,27,932 થઈ ગયો છે. આ 21 કેસોમાં તે બે લોકોનો પણ સમાવેશ થાય છે. ડેટા અનુસાર, દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 59,210 પર આવી ગઈ છે, જે કુલ કેસના 0.13 ટકા છે. છેલ્લા 24 કલાકમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 3,538નો ઘટાડો થયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર વધીને 98.68 ટકા થયો છે.

અપડેટ ડેટા અનુસાર, દૈનિક ચેપ દર 1.94 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 2.51 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,38,55,365 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.19 ટકા છે. વળી, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 212.75 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.

×