Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી Bhavnagar ની મુલાકાતે! જાણો તેમનો આજનો વિગતવાર કાર્યક્રમ

Bhavnagar : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ભાવનગરની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
pm મોદી bhavnagar ની મુલાકાતે  જાણો તેમનો આજનો વિગતવાર કાર્યક્રમ
Advertisement
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી Bhavnagar ની મુલાકાતે
  • મહિલા કોલેજ સર્કલ થી સભા સ્થળ સુધી રોડશો યોજાશે
  • PM મોદી ભાવનગરને આપશે વિકાસની ભેટ
  • CM ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ રહેશે હાજર
  • 200 કરોડથી વધુના કામોના PM કરશે MOU
  • સાગરમાલા પ્રોજેક્ટ, CNG ટર્મિનલ સહિતના કામોનું લોકાર્પણ

Bhavnagar : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ભાવનગરની મુલાકાતે આવવાના છે, જ્યાં તેઓ હજારો કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમની આ મુલાકાત માત્ર સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે એક ઐતિહાસિક દિવસ સાબિત થશે. વડાપ્રધાનના આગમનને લઈને સમગ્ર ભાવનગર શહેરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. વડાપ્રધાનનો કાર્યક્રમ સવારે 9:30 વાગ્યે ભાવનગર એરપોર્ટ પર આગમનથી શરૂ થઈ લોથલ જવા સુધીનો રહેશે.

વડાપ્રધાન સવારે 9:30 વાગ્યે ભાવનગર એરપોર્ટ પર પહોંચશે

વડાપ્રધાનના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલ કાર્યક્રમ મુજબ, તેઓ સવારે 9:30 વાગ્યે ભાવનગર એરપોર્ટ પર પહોંચશે. એરપોર્ટ પરથી તેઓ સીધા જ મહિલા કોલેજ સર્કલ તરફ પ્રયાણ કરશે. અહીંથી તેમના રોડ શોનો પ્રારંભ થશે.

Advertisement

રોડ શોમાં PM Bhavnagar ના લોકોનું અભિવાદન ઝીલશે

વડાપ્રધાન મોદીનો રોડ શો સવારે 10:15 થી 10:45 વાગ્યા સુધી ચાલશે. આ રોડ શો મહિલા કોલેજ સર્કલથી શરૂ થઈને રૂપાણી સર્કલ સુધી યોજાશે. આ સમગ્ર માર્ગ પર હજારોની સંખ્યામાં ભાવનગરવાસીઓ ઉમટી પડશે અને વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરશે. આ રોડ શો દરમિયાન વડાપ્રધાન મોદી ખુલ્લી જીપમાં રહીને લોકોનું અભિવાદન ઝીલશે.

Advertisement

જાહેર સભા અને વિકાસ કાર્યોનું લોકાર્પણ

રોડ શો બાદ વડાપ્રધાન મોદી જવાહર મેદાન ખાતે જાહેર સભાને સંબોધશે. આ સભામાં તેઓ હજારો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ કાર્યક્રમની શરૂઆત સવારે 10:45 વાગ્યે એક્ઝિબિશન નિહાળવાથી થશે. ત્યારબાદ, 11:00 વાગ્યે સ્વાગત સમારંભ, અને 11:10 વાગ્યે કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલનું સંબોધન થશે. આ પછી 11:10 થી 11:15 વાગ્યા સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરશે.

સૌથી મહત્વનો ભાગ 11:15 થી 11:25 વાગ્યા સુધીનો રહેશે, જેમાં વિવિધ વિકાસ કાર્યક્રમોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. જે ભાવનગરના આર્થિક વિકાસને વેગ આપશે. આ વિકાસ કાર્યોને દિવાળીની ભેટ સમાન ગણવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાનનું સંબોધન

આ તમામ કાર્યક્રમો પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11:25 થી 12:00 વાગ્યા સુધી જાહેર સભાને સંબોધન કરશે. તેઓ આ સંબોધનમાં ભાવનગર અને ગુજરાતના વિકાસની વાત કરશે, સાથે જ દેશના વિકાસ માટે સરકારની ભવિષ્યની યોજનાઓ વિશે પણ જાણકારી આપશે. આ સંબોધન સમગ્ર દેશ માટે મહત્વનું બની રહેશે.

લોથલની મુલાકાત

જાહેર સભા બાદ, વડાપ્રધાન મોદી બપોરે 12:10 વાગ્યે લોથલ જવા રવાના થશે. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક પ્રાચીન બંદર હતું, જ્યાં સરકારે હાલમાં રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંકુલનું નિર્માણ કાર્ય હાથ ધર્યું છે. વડાપ્રધાન આ સ્થળની મુલાકાત લઈને વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.

આ પણ વાંચો :   PM Modi Bhavnagar Visit: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન ભાવનગરની મુલાકાતે, વિકાસલક્ષી કાર્યોના કરશે લોકાર્પણ, ખાતમુહૂર્ત

આ પણ વાંચો :   Bhavnagar : 30 હજારથી વધુ ભાવનગરવાસી PM મોદીનું કરશે ભવ્ય સ્વાગત!

Tags :
Advertisement

.

×