'ફિલ્મનું શુટિંગ અને સંતાનને સ્તનપાન....', કામના કલાકોને લઇને રાની મુખર્જીએ વાત મુકી
- કામના કલાકને લઇને બોલિવુડથી લઇને સામાન્ય લોકોમાં ભારે ચર્ચા છે
- રાની મુખર્જીએ જાણીતા પોડકાસ્ટમાં પોતાનો અંગત જીવનનો કિસ્સો જણાવ્યો
- મેં ચોક્કસ કલાકો સુધી પણ કામ કર્યું છે - રાની મુખર્જી
Rani Mukherjee Podcast : દીપિકા પાદુકોણે (Deepika Padukone) આઠ કલાકના કાર્ય દિવસની માંગણીને (8 Hour Shift Row) કારણે ફિલ્મ નિર્માતા સંદીપ રેડ્ડી વાંગાની પ્રભાસ અભિનીત ફિલ્મ "સ્પિરિટ" છોડી દીધી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ફિલ્મ ઉદ્યોગ અને દર્શકોમાંના કેટલાક લોકોએ આઠ કલાકની શિફ્ટને ટેકો આપ્યો છે, તો કેટલાક લોકોએ તેની ટીકા કરી છે. દરમિયાન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રાની મુખર્જીએ (Rani Mukherjee Podcast) આ બાબતે પોતાનો અભિપ્રાય શેર કર્યો છે અને સમજાવ્યું છે કે તે કેવી રીતે કામ અને માતૃત્વ વચ્ચે સંતુલન જાળવી રાખે છે.
View this post on Instagram
ટીમ સાથે મુદ્દાઓની ચર્ચા કરીને ઉકેલ
મીડિયા સાથે વાત કરતાં, રાની મુખર્જી (Rani Mukherjee Podcast) એ જણાવ્યું કે, "જ્યારે મેં 'હિચકી' (2018) કરી ત્યારે આદિરા (રાની અને તેના પતિ આદિત્ય ચોપરાની પુત્રી) 14 મહિનાની હતી, અને હું હજુ પણ તેને સ્તનપાન કરાવતી હતી, તેથી મારે સવારે દૂધ કાઢીને બહાર જવું પડતું હતું. હું શહેરની એક કોલેજમાં શૂટિંગ કરી રહી હતી. જુહુમાં મારા ઘરથી લોકેશન સુધી ટ્રાફિકમાં લગભગ બે કલાક લાગતા હતા. તેથી, મેં સવારે દૂધ કાઢીને 6:30 વાગ્યે શૂટિંગ માટે નીકળવાનો નિર્ણય લીધો હતો. મારો પહેલો શોટ સવારે 8 વાગ્યે હતો, અને હું 12:30 થી 1 વાગ્યાની વચ્ચે બધું પૂરું કરવાનું લક્ષ્ય રાખતી હતી. મારું યુનિટ અને મારા દિગ્દર્શક પણ તે રીતે વર્તતા કરતા હતા. હું 6-7 કલાકમાં શૂટિંગ પૂર્ણ કરીને બપોરે 3 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જતી હતી, શહેરનો ટ્રાફિક વધે તે પહેલાં. મેં મારી ફિલ્મ આ રીતે કરી." રાનીએ સાથે એમ પણ સમજાવ્યું કે, ટીમ સાથે આ મુદ્દાઓની ચર્ચા કરીને આવા ઉકેલો શોધી શકાય છે.
કોઈ પણ કોઈના પર કંઈ પણ લાદી રહ્યું નથી
રાનીને (Rani Mukherjee Podcast) તાજેતરમાં જ શ્રીમતી ચેટર્જી વિરુદ્ધ નોર્વે (2023) ફિલ્મમાં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો પહેલો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો. આઠ કલાકની શિફ્ટ અંગેની ચર્ચા અંગે, તેણીએ ઉમેર્યું, "આજકાલ આ બાબતો સમાચારમાં છે, કારણ કે, લોકો કદાચ બહાર તેની ચર્ચા કરી રહ્યા છે. પરંતુ આવું બધા વ્યવસાયોમાં બન્યું છે. મારી પાસે એવી પરિસ્થિતિ પણ આવી છે કે, મેં ચોક્કસ કલાકો સુધી કામ કર્યું છે. જો નિર્માતાને વાંધો ના હોય, તો તમે ફિલ્મ પર કામ કરવાનું ચાલુ રાખો. જો નિર્માતાને વાંધો હોય, તો તમે ફિલ્મ ના કરો. તેથી, આ પણ એક વિકલ્પ છે. કોઈ પણ કોઈના પર કંઈ પણ લાદી રહ્યું નથી."
View this post on Instagram
મારું અંગત જીવન અલગ છે
પોતાના પતિ, દિગ્દર્શક-નિર્માતા આદિત્ય ચોપરા અને તેમણે 2014 માં કરેલા લગ્નને ખાનગી રાખવાનું કારણ જણાવતા રાનીએ (Rani Mukherjee Podcast) કહ્યું, "મારા પતિ ખૂબ જ ખાનગી વ્યક્તિ છે, અને મને લાગે છે કે, તેઓ ઇચ્છતા હતા કે લગ્ન ખૂબ જ ખાનગી રહે. તેથી, દેખીતી રીતે, મને નથી લાગતું કે ક્યારેય અમારા લગ્નના ફોટા બહાર આવે. મારું કાર્ય જીવન અલગ છે, મારું અંગત જીવન અલગ છે. જો તમે મને વર્ષોથી જોયું હોય, તો મને લાગે છે કે, હું ફક્ત ત્યારે જ બહાર આવું છું જ્યારે કોઈ કારણ હોય."
આ પણ વાંચો ----- Bigg Boss 19: કેપ્ટન ફરહાના-અશનૂર વચ્ચે ધક્કામુક્કી; સલમાન ખાન કરશે કાર્યવાહી?


