Shilpa Shetty એ પોતાનું ધમધમતુ રેસ્ટોરન્ટ 'Bastian' કેમ કર્યું બંધ, જાણો કારણ?
- બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોતાની રેસ્ટોરન્ટ કરી બંધ (Shilpa Shetty restaurant)
- બાસ્ટિયન બાંદ્રા નામની રેસ્ટોરન્ટ બંધ કરવાની કરી જાહેરાત
- ટૂંક સમયમાં જ બાસ્ટિયન એટ ધ ટોપ નામથી કરશે ફરી શરૂ
- હાલમાં જ 60.4 કરોડની છેતરપિંડીનો નોંધાયો છે કેસ
Shilpa Shetty restaurant : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા હાલમાં મુશ્કેલીમાં છે. આર્થિક ગુના શાખા (EOW) દ્વારા 60.4 કરોડની છેતરપિંડીના કેસ બાદ, શિલ્પાએ તેની મુંબઈમાં આવેલી પ્રખ્યાત રેસ્ટોરન્ટ 'બાસ્ટિયન બાંદ્રા' બંધ કરવાની જાહેરાત કરી છે. 2016માં શરૂ થયેલી આ રેસ્ટોરન્ટ મુંબઈના ઘણા સેલિબ્રિટીઝ માટે હોટસ્પોટ હતી. જોકે, શિલ્પાએ સ્પષ્ટ કર્યું છે કે આ બ્રાન્ડ સંપૂર્ણપણે બંધ નહીં થાય, પરંતુ ટૂંક સમયમાં જ 'બાસ્ટિયન એટ ધ ટોપ' નામથી ફરી શરૂ થશે.
View this post on Instagram
'બાસ્ટિયન બાંદ્રા' એક યુગનો અંત
શિલ્પા શેટ્ટી અને રણજીત બિન્દ્રાની ભાગીદારીમાં શરૂ થયેલી 'બાસ્ટિયન બાંદ્રા' એક સમયે મુંબઈની નાઇટલાઇફનું પ્રતીક બની હતી. ખાસ કરીને તેના સી-ફૂડ માટે જાણીતી આ રેસ્ટોરન્ટમાં બોલિવૂડ અને બિઝનેસ જગતની હસ્તીઓ વારંવાર આવતી હતી. શિલ્પાએ સોશિયલ મીડિયા પર આ નિર્ણય અંગે માહિતી આપી અને જણાવ્યું કે આ રેસ્ટોરન્ટનો ગુરુવાર 'એક યુગના અંત' જેવો હશે. તેણે કહ્યું કે આ જગ્યાએ શહેરમાં અગણિત યાદો આપી છે, જેને ઉજવવા માટે છેલ્લી રાત્રે એક ખાસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે.
Shilpa Shetty business
'બાસ્ટિયન એટ ધ ટોપ' સાથે નવી શરૂઆત (Shilpa Shetty restaurant)
શિલ્પાએ ખાતરી આપી કે 'બાસ્ટિયન' બ્રાન્ડ સંપૂર્ણપણે બંધ થવાની નથી. તેણે કહ્યું કે આ રેસ્ટોરન્ટને નવા સ્વરૂપમાં, 'બાસ્ટિયન એટ ધ ટોપ' તરીકે ફરીથી રજૂ કરવામાં આવશે, જે એક નવા અનુભવ સાથે આવશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે શિલ્પા અને રાજ કુન્દ્રા કાનૂની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
60.4 કરોડની છેતરપિંડીનો આરોપ
મુંબઈના એક ઉદ્યોગપતિ દીપક કોઠારીએ શિલ્પા અને રાજ પર 60.4 કરોડની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેમની ફરિયાદ મુજબ, આ રકમ 2015થી 2023 દરમિયાન રોકાણ અને લોન તરીકે આપવામાં આવી હતી, પરંતુ તેનો ઉપયોગ કથિત રીતે તેમના અંગત ખર્ચાઓ માટે કરવામાં આવ્યો. આ કેસ 'બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપની સાથે સંબંધિત છે, જે હવે બંધ થઈ ગઈ છે. શિલ્પા અને રાજના વકીલ પ્રશાંત પાટીલે આ આરોપોને ફગાવી દીધા છે અને તેને જૂના સિવિલ ટ્રાન્ઝેક્શનનો મામલો ગણાવ્યો છે, જેમાં કોઈ ગુનાહિત પાસું નથી. તેમણે કહ્યું કે તમામ દસ્તાવેજો તપાસ એજન્સીઓને સોંપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Salman Aishwarya fight : શું ખરેખર સલમાન ખાને ઐશ્વર્યા રાયનો હાથ તોડી નાંખ્યો હતો? જાણો એ રાતે શું થયુ હતુ?


