Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હિરોશિમા પર એટમ બોમ્બ ફેંક્યા બાદ જ્યારે ‘એનોલા ગે’ના પાયલટે નીચે જોયું

‘એનોલા ગે’ની ઉડાન: હિરોશિમા પર પ્રથમ એટમ બોમ્બનો વિનાશક ઈતિહાસ
હિરોશિમા પર એટમ બોમ્બ ફેંક્યા બાદ જ્યારે ‘એનોલા ગે’ના પાયલટે નીચે જોયું
Advertisement
  • હિરોશિમા પર એટમ બોમ્બ ફેંક્યા બાદ જ્યારે ‘એનોલા ગે’ના પાયલટે નીચે જોયું
  • ‘એનોલા ગે’ની ઉડાન: હિરોશિમા પર પ્રથમ એટમ બોમ્બનો વિનાશક ઈતિહાસ
  • પોલ ટિબેટ્સની આત્મકથા: હિરોશિમા પર બોમ્બ ફેંકવાની અનોખી ક્ષણો

પ્રથમ પરમાણુ બોમ્બના પરીક્ષણ માટે અમેરિકાએ ન્યૂ મેક્સિકોના અલામોગોર્ડો બોમ્બિંગ રેન્જને પસંદ કરી હતી. આ પ્રોજેક્ટને એટલો ગુપ્ત રાખવામાં આવ્યો હતો કે તે સમયના અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેનને પણ આની ખબર ન હતી. રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટના અવસાનના 24 કલાક બાદ ટ્રુમેનને જાણ કરવામાં આવી કે અમેરિકા એક અત્યંત વિનાશક બોમ્બ બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે, જેને ‘મેનહટ્ટન પ્રોજેક્ટ’ નામ આપવામાં આવ્યું હતું.

પ્રથમ પરમાણુ પરીક્ષણ

15 જુલાઈ, 1945ના રોજ ન્યૂ મેક્સિકોના રણમાં ભારે તોફાન આવ્યું હતું. મેનહટ્ટન પ્રોજેક્ટના નિર્દેશક લેઝલી ગ્રોવ્સ અને બોમ્બના નિર્માતા રોબર્ટ ઓપેનહાઈમર કમાન્ડ બંકરમાં પરીક્ષણની પરવાનગીની રાહ જોઈ રહ્યા હતા. ઈયન મેકગ્રેગરે તેમની પુસ્તક ‘ધ હિરોશિમા મેન’માં લખ્યું છે, “16 જુલાઈ, 1945ના રોજ સવારે 5:30 વાગ્યે પ્રથમ એટમ બોમ્બનું પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ દરમિયાન ન્યૂ મેક્સિકોના રણમાં સવારે સાડા પાંચ વાગે દિવસ ઉગી ગયો હોય એટલો અજવાળો પથરાઈ ગયો હતો.”

Advertisement

૧૬ જુલાઈ, ૧૯૪૫ ના રોજ અમેરિકાએ અણુ બોમ્બનું પરીક્ષણ કર્યું

 16 જુલાઈ, 1945ના રોજ અમેરિકાએ અણુ બોમ્બનું પરીક્ષણ કર્યું

Advertisement

લેઝલી ગ્રોવ્સે ત્યાં હાજર તેમના સાથીઓ વેનવર બુશ અને જેમ્સ કોનન્ટ સાથે હાથ મિલાવ્યો. જ્યારે ઓપેનહાઈમર આવ્યા ત્યારે ગ્રોવ્સે તેમને અભિનંદન આપતાં કહ્યું, “મને તમારા પર ગર્વ છે.” અમેરિકાને આખરે તે બોમ્બ મળી ગયો જેની તે રાહ જોઈ રહ્યું હતું. ગ્રોવ્સે તરત જ યુદ્ધ મંત્રી હેનરી સ્ટિમસનને કૂટભાષામાં રિપોર્ટ મોકલ્યો, જે સ્ટિમસને રાષ્ટ્રપતિ ટ્રુમેનને વાંચીને સંભળાવ્યો. 24 કલાકની અંદર ટ્રુમેન અને સ્ટિમસનને સંદેશ મળ્યો કે એટમ બોમ્બ 1 ઓગસ્ટથી 10 ઓગસ્ટની વચ્ચે કોઈપણ સમયે ઉપયોગમાં લઈ શકાય છે.

જાપાનને ચેતવણી અને બોમ્બ ફેંકવાનો નિર્ણય

26 જુલાઈ, 1945ના રોજ રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેને જાપાનને ચેતવણી આપી કે જો તેણે બિનશરતી હથિયારો નહીં નાખે તો તેને અકલ્પનીય વિનાશ માટે તૈયાર રહેવું પડશે. જાપાને આ ચેતવણીની અવગણના કરી જેના પગલે એટમ બોમ્બ ફેંકવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ અભિયાનને ‘મિશન નંબર-13’ નામ આપવામાં આવ્યું અને 6 ઓગસ્ટ, 1945નો દિવસ પસંદ કરવામાં આવ્યો. જનરલ કર્ટિસ લીમેએ મિશનના ચીફ પોલ ટિબેટ્સ સાથે ચર્ચા કરીને હિરોશિમા, કોકુરા અને નાગાસાકી શહેરોને નિશાન બનાવવા માટે પસંદ કર્યા.

આ પણ વાંચો-Delhi Accident: ચાણક્યપુરી પાસે થારચાલકે બે લોકોને કચડ્યા, એકનું મોત, કારમાંથી દારુની બોટલ મળી

અભ્યાસ અને તૈયારી

રિચર્ડ રોડ્સે તેમની પુસ્તક ‘ધ મેકિંગ ઓફ ધ એટોમિક બોમ્બ’માં લખ્યું છે, “31 જુલાઈના રોજ ટિનિયન બેઝ પર તૈનાત 15 બી-29 લડાકુ વિમાનોમાંથી ત્રણ વિમાનોએ ડમી એટમ બોમ્બ સાથે ઉડાન ભરી હતી. તેમણે ઈવો જીમા ટાપુનો ચક્કર લગાવ્યો અને સમુદ્રમાં ડમી ફેંકીને વિમાનને વાળવાનો અભ્યાસ કર્યો. જો 1 ઓગસ્ટે જાપાનમાં ભારે તોફાન ન આવ્યું હોત તો હિરોશિમા પર તે જ દિવસે બોમ્બ ફેંકી દેવામાં આવ્યો હોત.”

બોમ્બ ફેંકવાના આદેશની 32 નકલો તૈયાર કરવામાં આવી હતી. પોલ ટિબેટ્સે ‘ગ્લાસગો હેરાલ્ડ’ના વિલિયમ લોડરને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, “મેં મારા આદેશની નકલ ઓફિસના સેફમાં લોક કરી અને જનરલ લીમે સાથે ‘એનોલા ગે’ વિમાનનું નિરીક્ષણ કરવા ગયો, જે ટેકનિકલ એરિયામાં ઊભું હતું. વિમાનને તાડપત્રીથી ઢાંકી રાખવામાં આવ્યું હતું જેથી લોકોની નજર તેના પર ન પડે. મને આશ્ચર્ય થયું જ્યારે ત્યાં ઊભેલા એક સૈનિકે જનરલ લીમેને સિગાર અને દીવાસળી આપવા કહ્યું.”

રિચર્ડ રોડ્સની પુસ્તક 'ધ મેકિંગ ઓફ ધ એટોમિક બોમ્બ'

રિચર્ડ રોડ્સની પુસ્તક 'ધ મેકિંગ ઓફ ધ એટોમિક બોમ્બ'

ટિબેટ્સની ક્રૂ મીટિંગ

ટિબેટ્સની સામે વિમાનને લોડિંગ પિટમાં ખેંચી લઈ જવામાં આવ્યું, જ્યાં ટેકનિકલ સ્ટાફે અત્યંત સાવધાનીપૂર્વક ‘એનોલા ગે’ના બોમ્બ બેમાં એટમ બોમ્બ મૂક્યો. તે જ સાંજે ટિબેટ્સે મિશન સાથે જોડાયેલા તમામ લોકોની મીટિંગ બોલાવી લીધી. થિયોડર વેન કર્કે નેશનલ મ્યુઝિયમ, ન્યૂ ઓર્લિયન્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, “આ એક મહત્વપૂર્ણ મીટિંગ હતી, જેમાં નક્કી થવાનું હતું કે મિશનમાં કોણ-કોણ જશે અને કયા-કયા તબક્કે કયા પગલાં લેવામાં આવશે.”

ટિબેટ્સે કહ્યું, “જે હથિયારનો તમે ઉપયોગ કરવા જઈ રહ્યા છો, તેનું કેટલાક દિવસ પહેલાં સફળ પરીક્ષણ થયું છે. હવે આપણે તેનો ઉપયોગ દુશ્મન સામે કરીશું, પરંતુ હવે થોડી ઊંઘ લઈ લો. રાત્રે 10 વાગ્યે હું તમને અંતિમ બ્રીફિંગ માટે બોલાવીશ.” વેન કર્કે ઉમેર્યું, “મારી સમજની બહાર હતું કે પ્રથમ એટમ બોમ્બ ફેંકવા જનારા લોકો આવી રીતે ઊંઘી શકે.”

આ પણ વાંચો-Operation Sindoor આ શબ્દો આખા દેશને એક કરે છે - આર્મી ચિફ જનરલ દ્વિવેદી

પોલ ટિબેટ્સનું સંબોધન

ટિબેટ્સે નક્કી કર્યું કે ‘એનોલા ગે’નું કોલ સાઈન ‘વિક્ટર’ને બદલે ‘ડિમ્પલ્સ’ હશે. એવું પણ નક્કી થયું કે ઉડાનના પ્રથમ તબક્કામાં વિમાનને 5,000 ફૂટની ઊંચાઈએ રાખવામાં આવશે. અમેરિકી નૌકાદળના જહાજો અને સબમરીનને ચેતવણીની સ્થિતિમાં રાખવામાં આવ્યા, જેથી જો ‘એનોલા ગે’ સમુદ્રમાં પડે તો બોમ્બને તાત્કાલિક બહાર કાઢી શકાય.

રાત્રે 11 વાગ્યે તમામ ક્રૂ સભ્યોને અંતિમ બ્રીફિંગ માટે એકઠા કરવામાં આવ્યા. પોલ ટિબેટ્સે તેમની પુસ્તક ‘મિશન: હિરોશિમા’માં લખ્યું, “મેં તેમને સંબોધતાં કહ્યું, આજે એ રાત આવી ગઈ છે, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા. છેલ્લા મહિનાઓમાં આપણે જે તાલીમ લીધી છે, તેનો હવે ઉપયોગ કરીશું. થોડીવારમાં આપણે જાણીશું કે આપણે મિશનમાં સફળ થયા છીએ કે નિષ્ફળ. આપણે એક એવો બોમ્બ ફેંકવા જઈ રહ્યા છીએ, જે તમે અત્યાર સુધી જોયેલા અથવા કરેલા મિશનથી સંપૂર્ણપણે અલગ છે. આ બોમ્બની ક્ષમતા 20,000 ટન TNTથી પણ વધુ છે.”

પહેલાં ગયેલા ત્રણ વિમાનો

ક્રૂ સભ્યોને આંખો પર પહેરવા માટે ખાસ પોલરોઈડ લેન્સવાળા ગોગલ્સ આપવામાં આવ્યા, જે વેલ્ડિંગ કરનારા લોકો દ્વારા વપરાતા ગોગલ્સ જેવા હતા. ઈયન મેકગ્રેગરે લખ્યું, “મેનહટ્ટન પ્રોજેક્ટના પ્રોફેસર રેમસીએ સૌને જણાવ્યું કે આ ગોગલ્સ બોમ્બની ચમકથી આંખોને અંધ થતાં બચાવવા માટે આપવામાં આવ્યા છે.”

એક કલાક બાદ ક્રૂએ મેસમાં જઈને ઈંડા, સોસેજ, માખણ, બ્રેડ અને કોફીનો નાસ્તો કર્યો. જ્યારે ક્રૂ નાસ્તો કરી રહ્યું હતું, ત્યારે ટિબેટ્સે બધાની નજર ચૂકવીને પોટેશિયમ સાયનાઈડની ગોળીઓ તેમના ખિસ્સામાં રાખી લીધી. થોડીવારમાં હવામાનની માહિતી લેવા માટે ત્રણ વિમાનો ‘સ્ટ્રેટ ફ્લશ’, ‘જેબિટ થર્ડ’ અને ‘ફુલ હાઉસ’ ઉડાન ભરી લીધી હતી. આ ત્રણ વિમાનો બોમ્બિંગ મિશનથી એક કલાક પહેલાં ઉડ્યા હતા, જેથી તેઓ મુખ્ય લક્ષ્યના હવામાનની માહિતી આપી શકે.

આ પણ વાંચો-Operation Sindoor આ શબ્દો આખા દેશને એક કરે છે - આર્મી ચિફ જનરલ દ્વિવેદી

‘એનોલા ગે’નું ટેકઓફ

રાત્રે 1:45 વાગ્યે ક્રૂએ કોફીનો અંતિમ ઘૂંટ લીધો અને જીપમાં બેસીને રનવે પર ઊભેલા વિમાન તરફ આગળ વધ્યા. ત્યાં પૂરતો પ્રકાશ હતો, અને બેઝના લોકો ક્રૂ સાથે ફોટા ખેંચાવી રહ્યા હતા. મેનહટ્ટન પ્રોજેક્ટના તમામ વરિષ્ઠ સભ્યો હાજર હતા.

ઈયન મેકગ્રેગરે લખ્યું, “વિમાનનું સંતુલન જાળવવા માટે તેના પાછળના ભાગમાં પેટ્રોલના ડ્રમ રાખવામાં આવ્યા હતા. ટેકઓફનો સમય હતો સવારે 2:45નો... તે અંધારી, ઉકળાટભરી રાતમાં લગભગ 100 લોકોની ભીડમાં પત્રકાર બિલ લોરેન્સ પણ હાજર હતો, ટિબેટ્સે તેમના ક્રૂને વિમાનમાં ચઢાવ્યો.”

જ્યારે સહ-પાયલટ રોબર્ટ લુઈસ કંટ્રોલ પાસે આવ્યો, ત્યારે ટિબેટ્સે તેને ઠપકો આપતાં કહ્યું, “તારા હાથ કંટ્રોલથી દૂર રાખ, હું વિમાન ઉડાવું છું.” ટિબેટ્સે 8,500 ફૂટ લાંબા રનવે પર નજર ફેરવી અને ક્રૂ સાથે વાત કરીને ખાતરી કરી કે બધું બરાબર છે. પસીનો પોંછતાં તેમણે કંટ્રોલ ટાવરને કહ્યું, “‘ડિમ્પલ્સ 82 ટુ નોર્થ ટિનિયન ટાવર ટેકઓફ માટે તૈયાર.’ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં જવાબ આવ્યો.

‘ડિમ્પલ્સ 82, ટેકઓફ માટે મંજૂરી.’” હિરોશિમા પર પ્રથમ એટમ બોમ્બ ફેંકવાનું મિશન શરૂ થઈ ગયું. ‘એનોલા ગે’ આકાશમાં ગયું, અને તેની પાછળ એક પછી એક ત્રણ બી-29 વિમાનોએ ઉડાન ભરી જેમાં નિરીક્ષણ સાધનો હતા. ‘નેસેસરી ઈવિલ’ વિમાનના કેપ્ટન જોર્જ માર્કવાર્ડને બોમ્બાર્ડમેન્ટના ફોટા લેવાની જવાબદારી સોંપાઈ હતી.

ઇવાન મેકગ્રેગર દ્વારા લખાયેલ

ઇવાન મેકગ્રેગર દ્વારા લખાયેલ "ધ બુક ઓફ હિરોશિમા"

એટમ બોમ્બને સક્રિય કરતાં માથે પરસેવો વળ્યો

‘એનોલા ગે’ના ક્રૂને ખબર હતી કે આ લાંબી ઉડાન હશે. લક્ષ્ય સુધી પહોંચવાનો સમય હતો 6 કલાક અને 15 મિનિટ. જ્યારે વિમાન ઈવો જીમા ઉપર પહોંચ્યું, ત્યારે ક્રૂ સભ્યો વિલિયમ પાર્સન્સ અને મોરિસ જેપ્સનને કહ્યું કે વિમાનમાં રાખેલા ‘લિટલ બોય’ બોમ્બને સક્રિય કરવાનો સમય આવી ગયો છે. લીલો પ્લગ દૂર કરીને લાલ પ્લગ લગાવવાનો અભ્યાસ તેમણે અનેકવાર કર્યો હતો, પરંતુ વાસ્તવમાં આ કરવાનો સમય આવ્યો ત્યારે તેમના માથે પરસેવાની બૂંદો દેખાઈ.

પાર્સન્સે કન્સોલ પાસે આવીને ટિબેટ્સને જણાવ્યું કે બોમ્બ સક્રિય થઈ ગયો છે. વેન કર્કે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, “આ સાંભળીને ટિબેટ્સે ‘એનોલા ગે’ને 30,000 ફૂટની ઊંચાઈએ લઈ ગયા. 100 માઈલના અંતરથી જાપાનનો સમુદ્ર કિનારો દેખાવા લાગ્યો અને 75 માઈલથી હિરોશિમા શહેર દેખાતું હતું.” ક્રૂની વચ્ચેની વાતચીત બંધ થઈ ગઈ અને બધા શાંત થઈ ગયા. ટિબેટ્સે શાંતિ તોડતાં કહ્યું, “બધા ગોગલ્સ પહેરી લો.” વિમાને 360 ડિગ્રીનું વળાંક લીધું જેમાં 6 મિનિટ અને 15 સેકન્ડ લાગી. વળાંક પૂરું થતાં વિમાન હિરોશિમા તરફ આગળ વધવા લાગ્યું હતું. એક ખતરનાક હથિયારના રૂપમાં ભયંકર મોત હિરોશીમા તરફ આવી રહી હોવાથી જાપાનની સરકાર અને હિરોસીમાના લોકો અજાણ હતા.

આ પણ વાંચો-First goods train: કાશ્મીરમાં મોટી સિદ્ધિ: પહેલીવાર માલગાડી અનંતનાગ પહોંચી

બોમ્બ ફેંકતા પહેલાં રેડિયો સાયલન્સ

લક્ષ્યથી 10 મિનિટ દૂર હતા ત્યારે ટોમસ ફેરેબીએ ચીસ પાડી કે તેને T આકારનો આયોઈ પુલ દેખાયો. તે જ પળે ટિબેટ્સે કંટ્રોલ છોડીને ફેરેબીને કમાન સોંપી. બોમ્બ ફેંકવામાં હવે થોડો જ સમય બાકી હતો. પાછળ આવતા ‘નેસેસરી ઈવિલ’ વિમાનના ક્રૂએ બોમ્બ ફેંકવા માટે તૈયારી કરી.

ક્રૂ સભ્ય રસેલ ગેકનબેકે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, “અમે તે સિગ્નલ તરત પકડી લીધું જેની અમે રાહ જોતા હતા. બોમ્બ ફેંકવાના હતા ત્યારે બધા રેડિયો સિગ્નલ બંધ થઈ ગયા. આ જાણીજોઈને કરવામાં આવ્યું હતું. જેવા રેડિયો સિગ્નલ બંધ થયા, અમને ખબર પડી કે બોમ્બ બેના દરવાજા ખોલાઈ ગયા છે અને બોમ્બ નીચે જઈ રહ્યો છે. તે સમયે વિમાનમાં હાજર વૈજ્ઞાનિકોએ સ્ટોપવોચનું બટન દબાવ્યું. થોડી સેકન્ડો બાદ અમારા કેમેરાઓએ તસવીરો લેવાનું શરૂ કર્યું.”

જમીનથી 1890 ફૂટ ઊંચે એટમ બોમ્બ ફાટ્યો

વેન કર્કે ઈન્ટરવ્યૂમાં યાદ કર્યું, “જેવો બોમ્બ નીચે ગયો, ‘એનોલા ગે’ ઝટકા સાથે આગળ ઝૂકી ગયું. ટિબેટ્સે તરત વિમાનને ઓટો પાયલટ પર લીધું અને 160 ડિગ્રીના ખૂણે જમણી તરફ વાળવા લાગ્યા, જેથી તેને શક્ય તેટલું દૂર લઈ જઈ શકાય. અમારી પાસે બોમ્બ ફાટે તે પહેલાં માત્ર 43 સેકન્ડ હતી.”

આ પણ વાંચો-Varanasi ના આત્મ વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં આરતી ટાણે આગ, પુજારી સહિત 7 દાઝ્યા

તેજ પ્રકાશ અને વિમાનમાં ઝટકા

વેન કર્કે યાદ કર્યું, “અમારી પાસે દરેકની ઘડિયાળ ન હતી. સમયનો અંદાજ લગાવવા અમે 1001, 1002, 1003 ગણવા લાગ્યા. ત્યારે હવામાં તેજ પ્રકાશ દેખાયો અને થોડી સેકન્ડોમાં વિમાનમાં ઝટકા લાગ્યા. એક વિચિત્ર અવાજ આવ્યો જાણે કોઈ ધાતુની ચાદર ફાટી રહી હોય. અમે નીચે જોયું કે શું થઈ રહ્યું છે. મેં પહેલી વસ્તુ નોંધી કે લક્ષ્યની ઉપર મોટા સફેદ વાદળો ઉભરાયા હતા, જે ઉપર ચઢતા જતા હતા. વાદળોના નીચેના ભાગે ધુમાડાના જાડા ધાબળાએ આખા શહેરને ઢાંકી દીધું હતું. તેની નીચે અમને કશું દેખાતું ન હતું. અમે શહેરનો ચક્કર ન લગાવ્યો, પરંતુ હિરોશિમાના દક્ષિણ-પૂર્વ તરફ ઉડીને વાપસીનો રસ્તો લીધો.”

વિમાનની વાપસી

ટિબેટ્સે પહેલાંથી નક્કી કરેલો કોડેડ સંદેશ મોકલ્યો, “82 V 670 એબિલ, લાઈન, લાઈન 2, લાઈન 6, લાઈન 9. ક્લિયર કટ. અમે બેઝ તરફ આગળ વધી રહ્યા છીએ.” બોમ્બ ફેંક્યા બાદ ‘એનોલા ગે’ એટલું જોરથી હલી ગયું કે કેટલીક ક્ષણો માટે ક્રૂને લાગ્યું કે વિમાન વિરોધી તોપોથી હુમલો થયો છે. પરંતુ જોર્જ કેરોને તેમને ખાતરી આપી કે એવું નથી.

હિરોશિમા ઉપર કોઈ જાપાની વિમાન તેમને પડકારવા આવ્યું ન હતું. ટિબેટ્સે તેમની આત્મકથામાં લખ્યું, “અમે થોડી રાહત અનુભવી અને વિમાનને સમુદ્ર તરફ વાળ્યું. વાપસી દરમિયાન અમારી વાતોનો વિષય હતો જાપાન સાથેના યુદ્ધનો અંત. અમને ખબર હતી કે આવા હથિયારનો સામનો કોઈના બસની વાત નથી.”

ભયાનક દૃશ્ય

‘એનોલા ગે’ની પાછળ આવતા વિમાનના ક્રૂ સભ્ય રસેલ ગેકનબેકે યાદ કર્યું, “સામાન્ય રીતે બોમ્બ ફેંક્યા બાદ બેઝ પર પાછા ફરતી વખતે તમે ખુશ હોવ છો, જોક્સ સંભળાવો છો, તમારો મૂડ સારો હોય છે. પરંતુ આ વખતે આખા વિમાનમાં શાંતિ હતી. કોઈના મોંમાંથી એક શબ્દ નીકળતો ન હતો.”

ટિબેટ્સે આત્મકથામાં લખ્યું, “જ્યારે મેં વાપસી માટે ‘એનોલા ગે’ને વાળ્યું, ત્યારે મેં જે દૃશ્ય જોયું તે હું જીવનભર ન ભૂલી શકું. એક જાંબલી રંગનો વિશાળ મશરૂમ આકાર 45,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી ગયો હતો. આ એક ભયાનક દૃશ્ય હતું. અમે ઘણા માઈલ દૂર આવી ગયા હતા, પરંતુ એક ક્ષણ માટે લાગ્યું કે આ મશરૂમ અમને પણ ગળી જશે. હું તે ક્ષણો અને હિરોશિમાના લોકોને ક્યારેય નહીં ભૂલું.”

આ પણ વાંચો-Railway Round Trip Package: તહેવારોમાં રેલવે ટિકિટ પર 20 ટકા ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે મેળવશો લાભ?

વિનાશનો આંકડો

આ હુમલામાં એક અંદાજ મુજબ લગભગ એક લાખ લોકો માર્યા ગયા હતા. ત્રણ દિવસ બાદ, 9 ઓગસ્ટ, 1945ના રોજ નાગાસાકી શહેર પર આવો જ બીજો એટમ બોમ્બ ફેંકવામાં આવ્યો, જેમાં લગભગ 80,000 લોકો માર્યા ગયા હતા.

બે પરમાણું બોમ્બમાં બે લાખથી વધારે લોકો માર્યા હોવાના પણ આંકડા સામે આવતા રહ્યાં છે. આ હુમલા પછીના કેટલાક તથ્યો નીચે પ્રમાણે છે.

લિટલ બોય’ની રચના: હિરોશિમા પર ફેંકવામાં આવેલો બોમ્બ ‘લિટલ બોય’ યુરેનિયમ-235 આધારિત હતો, જેનું વજન 4,400 કિલો હતું અને તે 15 કિલોટન TNTની તાકાત ધરાવતો હતો.

નાગાસાકીનો બોમ્બ: નાગાસાકી પર ફેંકાયેલો બોમ્બ ‘ફેટ મેન’ પ્લૂટોનિયમ-239 આધારિત હતો, જેની વિનાશક ક્ષમતા 21 કિલોટન TNTની હતી.
જાપાનનું આત્મસમર્પણ: આ બે હુમલાઓ બાદ, 15 ઓગસ્ટ, 1945ના રોજ જાપાને બિનશરતી આત્મસમર્પણ કર્યું, જેનાથી બીજું વિશ્વ યુદ્ધ સમાપ્ત થયું.

નૈતિક ચર્ચા: એટમ બોમ્બનો ઉપયોગ આજે પણ નૈતિક દૃષ્ટિએ વિવાદાસ્પદ છે. રોબર્ટ ઓપેનહાઈમરે પછીથી આ બોમ્બના નિર્માણ પર પસ્તાવો વ્યક્ત કર્યો અને ભગવદ ગીતાનો શ્લોક ટાંક્યો, “હવે હું મૃત્યુ બની ગયો છું, વિશ્વનો સંહારક.”

લાંબા ગાળાની અસર: હિરોશિમા અને નાગાસાકીના હુમલાઓએ રેડિયેશનથી હજારો લોકોને લાંબા ગાળે અસર કરી, જેમાં કેન્સર અને અન્ય રોગોનો સમાવેશ થાય છે.

આજનું હિરોશિમા: આજે હિરોશિમા શાંતિનું પ્રતીક બની ગયું છે અને ત્યાંનું ‘હિરોશિમા પીસ મેમોરિયલ પાર્ક’ વિશ્વભરના લોકોને શાંતિનો સંદેશ આપે છે.

આ પણ વાંચો-Jammu-Kashmir ના કિશ્તવાડમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ

Tags :
Advertisement

.

×