Ahmedabad: ગેસ ગળતરની ઘટના મામલે દેવી સિન્થેટિક કંપનીના સંચાલક સામે ફરિયાદ
- વિનોદ અગ્રવાલ અને સુપરવાઇઝર મંગલસિંહ રાજપુરોહિત સામે ફરિયાદ
- કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા બાબતે બેદરકારી બદલ ફરિયાદ
- રવિવારે કંપનીમાં ગેસ ગેસગળતરના કારણે 2 લોકોના થયા હતાં મોત
Ahmedabad: અમદાવાદના નારોલમાં ગઈ કાલે ગેસ ગળતરની ઘટના બની હતી. આ ગેસ ગળતરની ઘટનાને લઈને અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે દેવી સિન્થેટિક કંપનીના સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. વિનોદ અગ્રવાલ અને સુપરવાઇઝર મંગલસિંહ રાજપુરોહિત સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધનીય છે કે, કંપનીમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા બાબતે બેદરકારી બદલ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad: નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની મોટી ઘટના, બે કર્મચારીના મોત
પોલીસે અત્યાર સુધીમાં 2 આરોપીને રાઉન્ડ અપ કર્યા
રવિવારે કંપનીમાં ગેસ ગેસગળતરના કારણે 2 લોકોના મોત થયા હતાં. એટલું જ નહીં પરંતુ આ ગેસ ગળતરની ઘટનામાં 7 લોકોને ગંભીર અસર થઈ હતી. પોલીસે અત્યાર સુધીમાં 2 આરોપીને રાઉન્ડ અપ કર્યા છે અને આગળની તપાસ હાથ ધરી દીધી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારોમાં પોતાના સ્વજનને ખોયાનું દુઃખ પરિવાર માટે ખુબ જ ગંભીર છે. જો કે, પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: પાવાગઢના ઇતિહાસમાં પ્રથમવાર નિજ મંદિરમાં ચોરીનો પ્રયાસ! વાંચો આ અહેવાલ
બે કર્મચારીના મોત થતા પંથકમાં શોકનો માહોલ
નોંધનીય છે કે, નારોલ વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ગેસ ગળતરની મોટી ઘટના બની હતી. નોંધનીય છે કે, બે કર્મચારીનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. એક ફેક્ટરીમાં ગેસ ગળતરની ઘટના બે કર્મચારીના મોત થતા પંથકમાં શોકનો માહોલ છવાયો છે. સમગ્ર ઘટનામાં સાત લોકોની હાલત ખરાબ હોવાથી LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે, 9 લોકોને અસર થતાં 108 મારફતે હોસ્પિટલ લઈ ગયા હતા. દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં સમગ્ર ઘટના બની હતી. જે મામલે અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો: સ્પેનના વડાપ્રધાન Pedro Sanchez ના પત્ની ગરબાના તાલે ઝૂમ્યા, પારુલ યુનિવર્સિટીમાં થયું ભવ્ય સ્વાગત


