ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli: પાયલને મેડિકલ માટે લઈ જતી SIT ની ટીમને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રોકી, શું તેઓ ન્યાય નથી ઈચ્છતા?

Amreli letterkand: પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી દીધી હતી. એટલું શું પરેશ ધાનાણી એવું નથી ઈચ્છતા કે દૂઘનું દૂધ અને પાણીનું પાણી થાય?
08:31 PM Jan 07, 2025 IST | VIMAL PRAJAPATI
Amreli letterkand: પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી દીધી હતી. એટલું શું પરેશ ધાનાણી એવું નથી ઈચ્છતા કે દૂઘનું દૂધ અને પાણીનું પાણી થાય?
Amreli
  1. પાયલ ગોટી મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયુ
  2. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી
  3. પરેશ ધાનાણી કેમ પોલીસની કામગીરીમાં બાધા નાખી રહ્યાં છે?

Amreli: પાયલ ગોટીને લઈને અત્યારે રાજકારણ ગરમાયું છે. એકબાજુ પાયલ ગોટી જજ સામે પોલીસે તેની સાથે કોઈ હેરાનગતિ કરી નથી, અને મીડિયા સામે એવું કહે છે કે, પોલીસે પટ્ટા માર્યા છે! તો હવે આમાં સાચું કોણ? હવે જ્યારે પોલીસ પાયલ ગોટીને સિવિલ ખાતે મેડિકલ માટે લઈ જઈ રહીં હતી, ત્યારે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી દીધી હતી. એટલું શું પરેશ ધાનાણી એવું નથી ઈચ્છતા કે દૂઘનું દૂધ અને પાણીનું પાણી થાય? આખરે કેમ પરેશ ધાનાણીને SIT ની ટીમને રોકવી પડી?

આ પણ વાંચો: Payal Gotti: જજ સામે હેરાનગતિ ના થઈ હોવાની કબૂલાત અને મીડિયા સમક્ષ પોલીસ પર આક્ષેપ!

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને અડધા રસ્તે રોકી દીધી

અત્યારે પાયલ ગોટીનો કોઈ રાજકીય ફાયદા માટે ઉપયોગ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે SIT ની ટીમ પાયલના ઘરે પહોંચી હતી અને પાયલને મેડિકલ માટે લઇ જવાની હતી. પરંતુ વિપક્ષ નેતા પરેશ ધાનાણી SIT ની ટીમને અડધા રસ્તે રોકી દે છે. એટલું જ નહીં પરંતુ અત્યારે મેડિકલ માટે કેમ લઈ જવામાં આવી રહીં છે? તેવા આક્ષેપો પણ કર્યાં હતા. પરેશ ધાનાણી દ્વારા પાયલને મેડિકલ માટે જવાતા અટકાવવાના પ્રયાસો થાય છે.આખરે પરેશ ધાનાણી કેમ પોલીસની કામગીરીમાં બાધા નાખી રહ્યાં છે. શું તેઓ દીકરીને ન્યાય મળે તેનું નથી ઈચ્છતા?

આ પણ વાંચો: અંબાજી મંદિર બાદ હવે ભૂતનાથ મંદિરનો વિવાદ, કોણ સાચું અને કોણ ખોટું?

જો પટ્ટા મારવામાં આવ્યાં હોય તો મેડિકલ થવી જોઈએ

ગુજરાત ફર્સ્ટ ઇચ્છે છે કે, દીકરીને ન્યાય મળે અને લેટરકાંડનું સત્ય શું છે તે સામે આવે!જો પોલીસે દીકરીને પટ્ટા માર્યા હોય તો પછી તેમને સજા કરવામાં આવે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે! કારણ કે પાટીદારની દીકરી એ ગુજરાતની દીકરી છે તો તેને ન્યાય મળવો જ જોઈએ. જો દીકરીને પટ્ટા મારવામાં આવ્યાં હોય તો તેની મેડિકલ થવી જ જોઈએ. અને આક્ષેપો સાચા છે કે, ખોટા તેની સાચી હકીકત સામે આવવી જ જોઈએ. પરંતુ આવું ના થઈ શકે તે માટે ખુદ પરેશ ધાનાણી સામે આવ્યાં છે. હવે આને લઈને પણ રાજકારણ ગરવાનું છે.

આ પણ વાંચો: હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢવાની માગ કરનારા AAP નેતાની કેમ થઈ ધરપકડ ?

કોના કહેવાથી પાયલે મીડિયા સમક્ષ આવું નિવેદન આપ્યું?

અત્યારે પાયલ ગોટીએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનને લઈને અનેક સવાલો થઈ રહ્યાં છે. શું પાલય ગોટીનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે? કારણ કે, પોલીસે દાવો કર્યો છે કે, અમે પાયલ ગોટીને કોઈ માર માર્યો નથી. જ્યારે પાયલ ગોટીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, તેને પટ્ટા મારવામાં આવ્યાં છે. મોટો સવાલ તો એ થાય છે કે, પાયલ ગોટીએ જજ સામે આવી કબૂલાત કરી હતી કે, પોલીસે કોઈ હેરાનગતી કરી નથી! તો પછી પાયલ ગોટીએ બે નિવેદનો કેમ આપ્યાં? પયલ ગોટીએ કોના કહેવાથી મીડિયા સમક્ષ એવું કહ્યું કે, પોલીસે તેને માર માર્યો છે? આવા અનેક સવાલો અત્યારે ચર્ચાનો વિષય બન્યાં છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Accused Payal GottiAmreli NewsAmreli police claimcontradiction in statementGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati Newsletter caseletterkandPayal GottiSartanpar portSartanpar port BhavnagarTop Gujarati News
Next Article