Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

GUJCET Exam 2025: આજે લેવાયેલ ગુજકેટની પરીક્ષા પૂર્ણ, ગણિતનાં પેપરે વિદ્યાર્થીઓની કસોટી કરી

આજે લેવાયેલી ગુજકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ પેપર બાબતે જણાવ્યું હતું કે, ગણિતનું પેપર પ્રમાણનાં લેન્ધી હોવાનું જણાવ્યું હતું.
gujcet exam 2025  આજે લેવાયેલ ગુજકેટની પરીક્ષા પૂર્ણ  ગણિતનાં પેપરે વિદ્યાર્થીઓની કસોટી કરી
Advertisement
  • આજે લેવામાં આવેલ ગુજકેટની પરીક્ષા પૂર્ણ
  • ગણિતના પેપરે વિદ્યાર્થીઓની કસોટી કરી
  • ગણિતનું પેપર અઘરૂ હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ઉચ્ચ શિક્ષણ માટે જે તે કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા લેવામાં આવતી હોય છે. આજે અમદાવાદ ખાતે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને પેપર કેવું રહ્યું તે બાબતે પૂછતા તેઓએ પોતાનાં પ્રતિભાવો જણાવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, ફિઝિક્સ કેમેસ્ટ્રીનું પેપર પ્રમાણમાં સરળ રહ્યું હતું. તેમજ ગણિત વિષયનાં પેપરે વિદ્યાર્થીઓની કસોટી કરી હતી. ગણિત વિષયનું પેપર પ્રમાણમાં લેન્ધી હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Kheda: પેપર મીલમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકસાન, નડિયાદ ફાયર બ્રિગ્રેડે મેજર કોલ જાહેર કર્યો

Advertisement

રાજ્યભરમાંથી 1 લાખ 29 હાજર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે

રાજ્યભરમાંથી 1 લાખ 29 હાજર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. એ ગ્રુપના 49,000 જેટલા વિદ્યાર્થીઓ, બી ગ્રુપના 80 હજાર વિદ્યાર્થીઓ અને એ અને એ - બી ગ્રુપના 300 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને 16 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પહેલું પેપર સવારે 10 થી 12 ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, બીજુ પેપર 1 વાગ્યાથી 2 સુધી બાયોલોજીનું અને ત્રીજું પેપર બપોરે ત્રણ થી છ વાગ્યા સુધી ગણિત વિષયનું લેવામાં આવશે. તેમજ એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ગણિત જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી ની પરીક્ષા લેવામાં આવતી હોય છે.

Advertisement

આ પણ વાંચોઃ VADODARA : સોશિયલ મીડિયામાં હથિયારોનું પ્રદર્શન કરતી બુટલેગર આણી મંડળી

એ ગ્રુપ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓએ 120 માર્કની કુલ ત્રણ વિષયની પરીક્ષા આપવાની હોય છે

ઉલ્લેખનિય છે કે એ ગ્રુપ અને બી ગ્રુપના વિદ્યાર્થીઓએ 120 માર્કની કુલ ત્રણ વિષયની પરીક્ષા આપવાની હોય છે. રાજ્યભરની ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી ફાર્મસી કોલેજમાં બોર્ડ અને ગુજકેટના પરિણામના મળીને મેરીટ તૈયાર થતું હોય છે. જેના આધારે ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ગ્રેજ્યુએશન અભ્યાસ માટે એડમિશન મળતું હોય છે.

આ પણ વાંચોઃ VADODARA : ડભોઇ ST ડેપો બહાર પેસેન્જર બેસાડવા મુદ્દે છુટ્ટા હાથે મારામારી

Tags :
Advertisement

.

×