મોરારીબાપુએ કર્યુ મતદાન
ભાવનગરના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે કથાકાર મોરારીબાપુએ મતદાન કર્યું હતું. જે બાદ તેમણે લોકશાહીના મહાપર્વ પર તમામ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી અને જણાવ્યું કે લોકતંત્રને મજબૂત કરવા માટે મતદાન ફરજિયાત કરવું જોઈએ.
- દ.ગુજરાતના 7 જિલ્લામાં 21.65 ટકા મતદાન
- સૌરાષ્ટ્ર-કચ્છ 12 જિલ્લામાં 18.80 ટકા મતદાન
- મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ નખત્રાણા તાલુકાના સુખપર ખાતે કર્યુ મતદાન
- પૂર્વ મંત્રી રાઘવજી પટેલે નારાયણપરમાં મતદાન કર્યુ
- અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યુ મતદાન
- રાજકોટમાં રિવાબા જાડેજાએ મતદાન કર્યુ
- રાજકોટ દક્ષિણના ભાજપ ઉમેદવાર રમેશ ટીલાળાએ કર્યુ મતદાન
- રાજકોટ પશ્ચિમના ભાજપ ઉમેદવાર ડૉ.દર્શિતા શાહે મતદાન કર્યુ
- મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવસારીમાં મતદાન કર્યુ
- માણાવદરમાં ભાજપ ઉમેદવાર જવાહર ચાવડાએ મતદાન કર્યુ
- જૂનાગઢ ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાએ કર્યુ મતદાન
- વ્યારા કોંગ્રેસના ઉમેદવાર પુનાજી ગામીતે કરંજવેલમાં મતદાન કર્યુ
- જસદણમાં ભાજપ ઉમેદવાર કુંવરજી બાવળિયાએ કર્યુ મતદાન
- ભાવનગર પશ્ચિમના કોંગ્રેસ ઉમેદવાર કિશોરસિંહ ગોહિલે કર્યુ મતદાન
- રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યુ મતદાન
- ગાંધીધામ ભાજપ ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ કર્યુ મતદાન
- ભુજ કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભુડિયાએ કર્યુ મતદાન
- કુતિયાણાના કોંગ્રેસ ઉમેદવાર નાથા ઓડેદરાએ મતદાન કર્યુ
- રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યુ મતદાન
- જેતપુર ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાએ કર્યુ મતદાન
- નવસારીના ચીખલીમાં મંત્રી નરેશભાઈ પટેલે કર્યુ મતદાન
- કપરાડામાં મંત્રી જીતુભાઈ ચૌધરીએ કર્યુ મતદાન
- બોટાદમાં ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીએ કર્યુ મતદાન
- ગાંધીધામ ભાજપના ઉમેદવારે પહેલા મતદાન કર્યુ પછી જન્મદિવસ ઉજવ્યો
- મતદાન મથકથી દુર કેક કાપીને ઉજવણી
- ગોંડલના ભગવગતપરાની શાળા નં-5માં EVM ખોટકાયું
- જામનગર દક્ષિણના ભાજપ ઉમેદવાર દિવ્યેશ અકબરીએ કર્યુ મતદાન
- કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ મતદાન કર્યુ
- જૂનાગઢ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ જોષીએ કર્યુ મતદાન
- જેતપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દીપક વેકરિયાએ કર્યુ મતદાન
- રાજકોટ પૂર્વ બેઠકના ભાજપ ઉમેદવાર ઉદય કાનગઢે કર્યુ મતદાન
- કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ઈશ્વરીયા ગામમાં મતદાન કર્યુ
- નાંદોદ ભાજપના ઉમેદવાર ડૉ.દર્શનાબેન દેશમુખે કર્યુ મતદાન
- ધોરાજીમાં કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ કર્યુ મતદાન
- ઉનામાં ભાજપ ઉમેદવાર કે.સી.રાઠોડે કર્યુ મતદાન
- માંડવીમાં ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેએ કર્યું મતદાન
- ભાવનગર પૂર્વ ના કોંગ્રેસના ઉમેદવાર બળદેવ સોલંકી કર્યું મતદાન
- વઢવાણ વિધાનસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર જગદીશભાઈ મકવાણાએ કર્યું મતદાન
- પોરબંદર વિધાન સભા બેઠકમાં ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા કર્યું મતદાન
- સાંસદ રામભાઈ મોકરિયા કર્યું મતદાન
- પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ કર્યું મતદાન.
- સૌરાષ્ટ્ર ભાજપના સિનિયર નેતા વજુભાઈ વાળાએ કર્યું મતદાન
- જામનગર કલેકટર સૌરભ પારઘીએ કર્યું મતદાન
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને તેમના પત્નીએ મતદાન કર્યું હતું. મતદાન કર્યા પછી વિજયભાઈ રૂપાણી કહ્યું કે, આમ આદમી પાર્ટીથી ભાજપને ફેર પડવાનો નથી. સૌરાષ્ટ્રમાં ભાજપનો ભગવો લહેરાશે. નારાજગીની વાત નાની છે. સૌરાષ્ટ્રમાં નારાજગીની ઘટના એક બે જગ્યાએ જ જોવા મળી છે, ભાજપને કોઈ અસર નહીં થાય. તેમના પત્નીએ કહ્યું હતું કે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. ભાજપ જીતશે તેવો મને વિશ્વાસ છે.
આ પણ વાંચો – ભાજપના પૂર્વ જિલ્લા સદસ્ય રામુજી ઠાકોરનો ઓડિયો વાઇરલ, કહ્યું – આ પાર્ટીમાં આવીને પછતાયો છું