અંજારમાં PMશ્રીનો હુંકાર, વહેમ હોય તે કચ્છનો વિકાસ જોઈ લે, વિકસીત ભારત બનાવીને જંપીશું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આજે હવે માત્ર બે દિવસો જ બાકી છે. છેલ્લા દિવસોમાં ચૂંટણી પ્રચારની કમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાથમાં લઈ લીધી છે. આજે વડાપ્રધાનશ્રી 4 સ્થળોએ વિજય સંકલ્પ સંમેલન સંબોધવાના છે જેમાં પાલિતાણા અને અંજારમાં સભા સંબોધી હવે તેઓ જામનગર અને રાજકોટમાં સંબોધન કરશે.કચ્છ આજે દોડી રહ્યું છેવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અંજારમાં àª
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આજે હવે માત્ર બે દિવસો જ બાકી છે. છેલ્લા દિવસોમાં ચૂંટણી પ્રચારની કમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હાથમાં લઈ લીધી છે. આજે વડાપ્રધાનશ્રી 4 સ્થળોએ વિજય સંકલ્પ સંમેલન સંબોધવાના છે જેમાં પાલિતાણા અને અંજારમાં સભા સંબોધી હવે તેઓ જામનગર અને રાજકોટમાં સંબોધન કરશે.
કચ્છ આજે દોડી રહ્યું છે
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ અંજારમાં કચ્છી ભાષામાં પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. તેણે જણાવ્યું કે, આ કચ્છની ધરતી કૌશલ્ય, ઇચ્છાની ધરતી છે. વર્ષ 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો અને તબાહી મચી ત્યારે લોકો વાતો કરતા કે હવે કચ્છ ક્યારેય બેઠું નહી થાય. કચ્છ બેઠું પણ થયું અને આજે સમગ્ર ભારતમાં તેજ ગતિથી દોડી રહ્યું છે. હું દિલ્હીમાં હોઉ તો પણ મારો અવાજ તો કચ્છ પહોંચે જ છે.
વિકસીત ભારત બનાવીને રહીશું
તેમણે જણાવ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ આપણે ઉજવીએ છીએ. આઝાદીના 100 વર્ષ થશે ત્યારે 25 વર્ષનો અમૃતકાળ ઉજવીશું. જેને વહેમ હોય તે કચ્છની વિકાસ યાત્રા જોઈ લે, અમે વિકસીત ભારત બનાવીને રહીશું. આ ચૂંટણીમાં આપણે પાંચ વર્ષનો નહી 25 વર્ષનો નિર્ણય કરવાનો છે. કચ્છએ નિર્ણય કર્યો હતો કે, મોદી સાથે ચાલવું છે અને મોદીએ કચ્છ સાથે ચાલવાનો નિર્ણય કર્યો હતો.
કોંગ્રેસ પર પ્રહાર
તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે, પહેલાં હું જ્યારે કચ્છમાં આવતો ત્યારે 50 લોકો મળ્યા હોય તેમાંથી 49 લોકો નર્મદાની વાતો કરતા, હવે કચ્છના છેવાડાના ગામ સુધી પાણી પહોંચ્યું છે અને આ મોદી જ કરી શકે કોંગ્રેસ એટલો કચ્છની દુશ્મન. કચ્છમાં પાણી ના પહોંચે એના જે લોકો કાવતરા કરતા તેની સાથે કોંગ્રેસની ભાઈબંધી હતી. હું મુખ્યમંત્રી બન્યો અને મે સોગંધ લીધા કે પાણી તો આપવું જ અને આપ્યું પણ ખરું. વાતો ના વડા કરવાવાળા અમે લોકો નથી, અમે કચ્છના રોટલા ખાધા છે.
બાગાયતી ખેતી શરૂ કરી
કચ્છમાં જવાર, બાજરી જેવા અનાજ પાકતા આપણે નક્કી કર્યું અને બાગાયતી ખેતી ચાલું કરી. પોષણ માટે જાડું અનાજ (જવાર, બાજરી જેવા અનાજ) કામમાં આવે તે માટે આપણે 2023માં મિલેટીયન વર્ષ મનાવશું અને તેમાં ગુજરાત અને કચ્છ દેખાશે. અહીં બન્નીની ભેસની પણ દુનિયામાં ચર્ચા થઇ રહી છે. કચ્છના પશુપાલકોને હવે પાણી મળ્યું તો 100-100 કિ.મી દોડવું નથી પડતું. PM કિસાન યોજનાથી ખેડૂતોને લાભ થયો, પશુપાલન વ્યવ્યસાયને પ્રોત્સાહન મળ્યું. જેમ માણસોના આધારકાર્ડ છે એમ પશુઓનો ઓળખ આપવાનું વિચારી રહ્યા છીએ.
70 વર્ષમાં ના બન્યા એટલા 27 વર્ષમાં ઘર બનાવ્યા
પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ઘર મળ્યા અને ઘર એટલે કોંગ્રેસના જમાનાના નહીં, આધુનિક ઘર મળ્યા અને મારી માતાઓ માલિક બની. આ સાથે આપડી બહેનોનું જીવન આસાન થાય તે માટે પણ કામ કરવું છે. દેશમાં 70 વર્ષમાં જેટલા ઘર બન્યા નથી એટલા અમે 27 વર્ષમાં ગુજરાતમાં બનાવ્યા છે. 2002ના ભૂકંપ બાદ મારૂ સંપૂર્ણ ધ્યાન કચ્છ તરફ આપ્યું અને વધુમાં વધુ મકાન કચ્છમાં બનાવ્યા. માતાઓના નામે ઘર આપ્યા તો કોરોના સમયે એમના આશીર્વાદથી આપણે લડી શક્યા.
પર્યટન ઉદ્યોગ વિકસ્યો
તેમણે જણાવ્યું કે, કોઇએ કલ્પના કરી હતી કે કચ્છમાં આટલુ પર્યટન વિકસશે. આખુ રાજસ્થાન જોવા જેટલા દિવસો જોઇએ એટલાથી વધુ દિવસો ખાલી આપણું કચ્છ જોતા થાય એટલા પર્યટન સ્થળો વિકસાવ્યા છે. આખી દુનિયા કચ્છ જોવા આવે છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. શું નથી કચ્છમાં? મનોરંજનના સાધનો વિકસાવ્યા, નવા રોડ બનાવ્યા. જ્યારે હું કચ્છમાં મોટા રોડ બનાવતો હતો ત્યારે કોંગ્રેસીયા મારી મજાક ઉડાવતા મને કહેતા આટલા મોટા રોડ કચ્છને શું કરવા છે, મે કહ્યું આ રસ્તાઓથી જ આખી દુનિયા કચ્છ જોવા આવશે. આજે ખાલી રણોત્સવ જોવા જ પાંચ લાખ લોકો આવે છે અને પ્રવાસીઓ આવે એટલે અહીંના લોકોને રોજગારી મળે આવક વધે.
કચ્છમાં મને તાકાત દેખાઈ
તેમણે જણાવ્યું કે, જે કોંગ્રેસીયાવને કચ્છ બોજ લાગતું હતુ મને તે કચ્છમાં તાકાત દેખાઈ. કોઇએ કલ્પના પણ નહોતી કરી કે કચ્છનો આટલો વિકાસ થશે. જે નામને કોંગ્રેસીયાઓએ દબાવી દીધુ હતું એ શ્યાનજી કૃષ્ણ વર્માની વાત ઘર ઘર સુધી પહોંચાડી છે. કચ્છના કેટલાક વિસ્તારનો એટલો ભાવ છે જેટલો મુંબઇનો પણ નથી. મૃન્દ્રા કાર્ગો હેન્લિંગમાં નંબર વન પર પહોંચ્યું છે, જે કચ્છની રોનક વધારે છે તો કંડલામાં 25 વર્ષ પહેલાં 7 કરોડનું એક્સપોર્ટ થતું હતું, આજે 9 હજાર કરોડનું એક્સપોર્ટ થાય છે, હવે તમને મોદી ગમે જ ને, બધાને વિકાસ જોઇએ છે.
કચ્છ ગુજરાતનું તોરણ બન્યું
તેમણે કહ્યું કે અહીંના માછીમારો માટે પણ કચ્છ વિકસ્યું છે. જે કચ્છનું રણ મુસીબત લાગતું હતુ તે ગુજરાતનું તોરણ બન્યું છે. જે ગ્રીન હાઇડ્રોજનનું અભિયાન મે ઉપાડ્યું છે, જેનાથી ગાડીઓ ચાલશે, વીજળી ઉત્પન્ન થશે એ કચ્છમાં બનવાનું છે. કચ્છે હવે પાછળ વળીને જોવા જેવું નથી. આ ચૂંટણી હું નહીં તમે લડો છો, મને ખબર છે કચ્છમાં કમળ ખીલવાડવાનું તમે નક્કી જ કરી લીધું છે. તમારે વધુમાં વધુ મતદાન કરાવીને બધા રેકોર્ડ તોડવાના છે. તમને અંગત કામ આપુ છું, ઘરે જઇને વડિલોને પ્રણામ કરીને મારા નમસ્કાર કરવાના છે.
પાલિતાણામાં સંબોધન
આ અગાઉ વડાપ્રધાનશ્રીએ પાલિતાણામાં જનસભા સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું કે, આજે પાલિતાણાએ રંગ રાખ્યો લાગે છે. આજે હું સુરતથી આવી રહ્યો છું, ગઇકાલે સાંજે સુરતમાં મારી સભા હતી, નક્કી થયા પ્રમાણે એરપોર્ટથી મારે સભામાં જવાનું હતું. જેથી આખું સુરત રોડ પર ઊતરી આવ્યું હતું, નક્કી કર્યા વગર રોડ શો કર્યો. આપણું ગુજરાત વિકસિત બને, નવી ઊંચાઈઓને પાર કરે એની ચૂંટણી છે. સરદાર વલ્લભભાઇ પટેલે દેશને એક કરવાનું બીડું ઉઠાવ્યું, રાજા-મહારાજાઓએ સ્પોર્ટ કર્યો. સૌથી પહેલાં ભાવનગરના મહારાજાએ દેશનો વિચાર કર્યો અને દેશની એકતા માટે રાજપાટ સમર્પિત કરી દીધું. રાષ્ટ્ર માટે આવડા મોટા ત્યાગની ભાવનગરે શરૂઆત કરી, આ ગોહિલવાડની ધરતીને સલામ કરૂ છું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


