Home » ભ્રષ્ટાચારના આરોપમાં આંગ સાન સુ કીને વધુ 6 વર્ષની સજા, જેલમાં પસાર કરવા પડશે 26 વર્ષ
ભ્રષ્ટાચારના આરોપમાં આંગ સાન સુ કીને વધુ 6 વર્ષની સજા, જેલમાં પસાર કરવા પડશે 26 વર્ષ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
132
મ્યાનમારની સૈન્ય સરકારે બુધવારે ભ્રષ્ટાચારના આરોપમાં પદભ્રષ્ટ નેતા આંગ સાન સુ કી (Aung San Suu Kyi)ને વધુ 6 વર્ષની જેલની સજા સંભળાવી છે, જે બાદ તેમની જેલની કુલ અવધિ હવે 26 વર્ષ થઈ ગઈ છે. આપને જણાવી દઇએ કે, આંગ સાન સુ કી (જન્મ જૂન 19, 1945) મ્યાનમાર (બર્મા)ના એક રાજકારણી, રાજદ્વારી અને લેખક છે. તે બર્માના રાષ્ટ્રપિતા આંગ સાનની પુત્રી છે, જેમની રાજકીય રીતે 1947મા હત્યા કરવામાં આવી હતી. સુ કીએ બર્મામાં લોકશાહીની સ્થાપના માટે લાંબો સંઘર્ષ કર્યો હતો.
કુલ 26 વર્ષ જેલમાં પસાર કરવા પડશે
મ્યાનમારની સૈન્યએ 1 ફેબ્રુઆરી, 2021 ના રોજ, દેશની જવાબદારી સંભાળી અને સુ કી (77) અને મ્યાનમારના કેટલાક અગ્રણી નેતાઓની અટકાયત કરી. સુ કી પર માઉગ વીક પાસેથી $5,50,000 લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જે ઘણા વર્ષો પહેલા ડ્રગની હેરફેરમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. જોકે, તેમણે આ મામલામાં પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. સુ કીને ગેરકાયદેસર રીતે વોકી-ટોકીની આયાત કરવા અને રાખવા માટે, કોરોનાવાયરસ ચેપ, રાજદ્રોહ અને ભ્રષ્ટાચારને રોકવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા બદલ 23 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી ચૂકી છે. બંને નવા કેસમાં થયેલી સજા એકસાથે ચાલશે. આવી સ્થિતિમાં સૂ કીને હવે કુલ 26 વર્ષ જેલમાં પસાર કરવા પડશે.
ચૂંટણીમાં મોટાભાગે ગેરરીતિ
સમર્થકો અને સ્વતંત્ર વિશ્લેષકો કહે છે કે, આરોપો રાજકીય રીતે પ્રેરિત છે અને સુ કીને આગામી ચૂંટણીમાં ભાગ લેવાથી બદનામ કરવા અને સૈન્યના ગેરકાયદેસર સત્તા પર કબજો જમાવવા માટે કરવામાં આવી રહ્યા છે. સુ કીને સતત અલગ-અલગ કેસોમાં દોશી સાબિત કરવામાં આવવાના કારણે તેમની ‘નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટી’ ના અસ્તિત્વને જોખમમાં મૂક્યું છે. સેનાએ 2023મા દેશમાં નવી ચૂંટણીની જાહેરાત કરી છે. સુ કીની પાર્ટીએ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી, પરંતુ સૈન્યનું કહેવું છે કે ચૂંટણીમાં મોટાભાગે ગેરરીતિ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, રંગૂનમાં 19 જૂન 1945ના રોજ જન્મેલા, આંગ સાન સુ કી લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન, અગ્રણી વિપક્ષી નેતા અને મ્યાનમારની નેશનલ લીગ ફોર ડેમોક્રસીના નેતા છે. આંગ સાન સુ કીને 1990મા રાફ્ટો પ્રાઈઝ તથા વિચારની સ્વતંત્રતા માટે સખારોવ પુરસ્કાર અને 1991મા નોબેલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. 1992મા, તેમને ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય સંકલન માટે જવાહરલાલ નેહરુ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. લોકશાહી માટે આંગ સાનના સંઘર્ષનું પ્રતીક, બર્મામાં છેલ્લા 20 વર્ષમાં કેદમાં વિતાવેલા 14 વર્ષ સાક્ષી આપે છે.
આ પણ વાંચો – મ્યાનમારના નેતા આંગ સાન સૂ ચી ને 6 વર્ષની જેલની સજા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject