Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કાચબાને ખાવો ભારે પડ્યો! 3 લોકોના મોત, 32 ની હાલત અત્યંત ગંભીર

ફિલિપાઈન્સમાં દરિયાઈ કાચબાના સેવનથી ત્રણ લોકોના મોત 32 લોકો હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ ઉલ્ટી, પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી Three Dead After Eating Turtle : ફિલિપાઈન્સમાં એક ચોંકાવનારી ઘટનામાં દરિયાઈ કાચબાના સેવનથી 3 લોકોના મોત થયા છે, અને 32 લોકોની...
કાચબાને ખાવો ભારે પડ્યો  3 લોકોના મોત  32 ની હાલત અત્યંત ગંભીર
Advertisement
  • ફિલિપાઈન્સમાં દરિયાઈ કાચબાના સેવનથી ત્રણ લોકોના મોત
  • 32 લોકો હોસ્પિટલમાં દાખલ
  • દર્દીઓએ ઉલ્ટી, પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી

Three Dead After Eating Turtle : ફિલિપાઈન્સમાં એક ચોંકાવનારી ઘટનામાં દરિયાઈ કાચબાના સેવનથી 3 લોકોના મોત થયા છે, અને 32 લોકોની તબિયત બગડવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ ઘટના મેગુઇંડાનાઓ ડેલ નોર્ટે પ્રાંતના દરિયાકાંઠાના શહેરથી સામે આવી છે. સ્થાનિક નાગરિક એજન્સીઓએ આપેલી માહિતી મુજબ, મૃત્યુ પામેલા લોકો તથા બીમાર દર્દીઓએ દરિયાઈ કાચબામાંથી બનેલો સ્ટ્યૂ ખાધો હતો.

કાચબાના સેવન પર કાયદો અને પ્રતિબંધ

ફિલિપાઈન્સમાં પર્યાવરણ સુરક્ષા કાયદા હેઠળ દરિયાઈ કાચબાનું શિકાર કરવું કે તેનું સેવન કરવું ગેરકાયદેસર છે. આ કાયદાનો ઉલ્લંઘન કરનારાઓને જેલ અને દંડની જોગવાઈ છે. તેમ છતાં, કેટલીક આદિવાસી સમુદાયોમાં દરિયાઈ કાચબા તથા અન્ય જીવોના શિકાર અને સેવનની પ્રથાઓ હજુ પણ જીવંત છે. પરિણામે આદિવાસી સમાજમાં જાગૃતિ ફેલાવવાના પ્રયાસો સ્થાનિક વહીવટીતંત્ર સતત કરતું રહે છે.

Advertisement

બીમારીના લક્ષણો અને દર્દીઓની સ્થિતિ

બીમાર દર્દીઓએ ખોરાક ખાધા પછી ઝાડા, ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે દર્દીઓએ દરિયાઈ કાચબાનો બનેલા સ્ટ્યૂ ખાધો હતો, જે આ ખરાબ તબિયત માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. તબીબોએ એવી પણ જાણકારી આપી કે દરિયાઈ કાચબામાં હાજર ચેલોનિટોક્સિન નામનું ઝેરી પદાર્થ આ દર્દીઓને નુકસાન પહોંચાડવાનું મુખ્ય કારણ બની શકે છે.

Advertisement

ચેલોનિટોક્સિન: જીવલેણ બાયોટોક્સિન

ચેલોનિટોક્સિન એક ઝેરી પદાર્થ છે, જે દરિયાઈ કાચબામાં મોટાભાગે જોવા મળે છે. તબીબોના મતે, આ ઝેરી પદાર્થનું સેવન કરવાથી માનવદેહ પર જીવલેણ અસર થાય છે. અત્યાર સુધીના પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવે છે કે કાચબાના માંસમાં રહેલા ઝેરી પદાર્થના કારણે મૃત્યુ અને બીમારીઓ થઈ છે. તાત્કાલિક કારણ જાણવું શક્ય નહીં હોય, પરંતુ મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ચોક્કસ માહિતી મળી શકશે.

પર્યાવરણ રક્ષણ માટે જાગૃતિની જરૂર

આ ઘટનાએ ફરી એકવાર દરિયાઈ જીવસૃષ્ટિના રક્ષણ માટે જાગૃતિની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સ્થાનિક સમુદાયોમાં જાગૃતિ વધારવી મહત્વપૂર્ણ છે. પર્યાવરણ સુરક્ષા કાયદાનું પાલન કરાવવું અને કાચબાના શિકાર સામે કડક પગલાં લેવું એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જરૂરી છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના ફક્ત નાગરિકોને જ નહિ, પરંતુ વહીવટીતંત્રને પણ પર્યાવરણ અને માનવસુરક્ષા માટે વધુ કડક પદ્ધતિઓ અપનાવા માટે વિચારવા મજબૂર કરે છે.

આ પણ વાંચો:  બ્રિટનમાં જલ્દી જ સ્વૈચ્છિક ઈચ્છામૃત્યુનો મળી શકે છે અધિકાર! જાણો બિલની જોગવાઈઓ

Tags :
Advertisement

.

×